ગુજરાત: વિદેશીઓએ 3 સૌથી મોટા તહેવારોથી મોં ફેરવી લીધું, 94 કરોડ ખર્ચ્યા છતાં...

ગુજરાતમાં વિદેશી પ્રવાસીઓ માટે સરકારે ત્રણ મોટા અને પ્રમુખ તહેવારોનું આયોજન કર્યું છે, પરંતુ વિદેશમાંથી આવનારા પ્રવાસીઓ જાણે રસ લઇ રહ્યા નથી.

ગુજરાતમાં વિદેશી પ્રવાસીઓ માટે સરકારે ત્રણ મોટા અને પ્રમુખ તહેવારોનું આયોજન કર્યું છે, પરંતુ વિદેશમાંથી આવનારા પ્રવાસીઓ જાણે રસ લઇ રહ્યા નથી. બહારના લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે. આવી પરિસ્થિતિમાં સરકારની વિદેશમાંથી ડોલરમાં રૂપિયા કમાવવાની આશા ખરી ઉતરતી દેખાતી નથી.

મોદીના સ્વપ્નને પૂર્ણ કરવામાં અધિકારીઓ અસમર્થ

મોદીના સ્વપ્નને પૂર્ણ કરવામાં અધિકારીઓ અસમર્થ

જણાવી દઈએ કે ગુજરાત સરકાર રાજ્યમાં રણોત્સવ, પતંગોત્સવ અને નવરાત્રી ઉજવવા માટે બજેટમાં ફંડની જોગવાઈ પણ કરે છે. કચ્છ જીલ્લાના સૌથી મોટા ધોરડોના રણમાં રણોત્સવ ઉજવવામાં આવે છે. ગુજરાતમાં પતંગોત્સવ અમદાવાદ સહિત સાત સ્થળો ઉજવવામાં આવે અને નવરાત્રી ગુજરાતમાં દરેક જગ્યાએ ઉજવવામાં આવે છે. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ નક્કી કર્યું હતું કે આ ત્રણ તહેવારો રાજ્ય સરકાર ઉજવશે. તેમનો હેતુ એ હતો કે ગુજરાતની ટૂરિઝમ ઇંડસ્ટ્રીઝને પ્રોત્સાહન મળે અને વિશ્વના દેશોના પ્રવાસીઓ ગુજરાતની યાત્રા કરે.

ત્રણેય તહેવારો માટે 94.18 કરોડ થઇ ગયા, પરંતુ

ત્રણેય તહેવારો માટે 94.18 કરોડ થઇ ગયા, પરંતુ

છેલ્લાં પાંચ વર્ષમાં સરકારે આ ત્રણ તહેવારો માટે રૂ. 94.18 કરોડ ખર્ચ્યા છે. તહેવાર પર ખર્ચ કર્યા, પરંતુ વિદેશી પ્રવાસીઓ ખૂબ જ ઓછી માત્રામાં આવ્યા. તે ખૂબ જ ચોકાવનારું છે કે પાછલા પાંચ વર્ષોમાં રણોત્સવમાં 38, પતંગોત્સવમાં 430 અને નવરાત્રીમાં 65 વિદેશી પ્રવાસીઓ આવ્યા છે. એટલે કે હાજર પણ નહિ, પરંતુ ફક્ત 533 જ વિદેશીઓ.

વિદેશી પ્રવાસીઓ માટે 6 કરોડ રૂપિયા ખર્ચ્યા

વિદેશી પ્રવાસીઓ માટે 6 કરોડ રૂપિયા ખર્ચ્યા

ગુજરાત પ્રવાસન વિભાગના આંકડા અનુસાર સરકારે આ ત્રણ તહેવારોમાં વિદેશી પ્રવાસીઓ માટે છ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. ગુજરાતી પરિવારોમાં આ ત્રણ તહેવારો ઉજવવા માટે ઘણો ઉત્સાહ છે. આ તહેવારોમાં વિદેશી પ્રવાસીઓ દોરવાના પ્રયત્નો સફળ થયા નથી. નવરાત્રીમાં કેટલાક એનઆરઆઈ પરિવારો પોતાના વતનમાં આવી રહ્યા છે. આ એક નિયમિત પ્રક્રિયા છે, પરંતુ વિદેશી પ્રવાસીઓ કચ્છમાં રણોત્સવ જોવા આવ્યા નથી.

સરકારી સમારોહમાં ભાગ લેવા માટે, રાજ્યના એનઆરજી વિભાગ તે બધા દેશોને આમંત્રણ આપે છે જ્યાં ગુજરાતનાં પરિવારો રહે છે. સરકાર તેમને આવાસ સાથે બધી સુવિધાઓ પૂરી પાડે છે, પરંતુ સરકારનો ધ્યેય પ્રાપ્ત થયો નથી. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં દર વર્ષે 100 થી 150 વિદેશીઓ આવે છે, જે સરકાર માટે કેટલીક સિદ્ધિ હોઈ શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X