Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Gandhi Jayanti 2025: 'વોકલ ફોર લોકલ'ની મુહિમને વેગ આપવા CM ભૂપેન્દ્ર પટેલે ખાદીની ખરીદી કરી

Gandhi Jayanti 2025: CM ભૂપેન્દ્ર પટેલ આજે ગાંધી જયંતિ નિમિત્તે અમદાવાદના થલતેજ વિસ્તારમાંથી ખાદીની ખરીદી કરીને PM નરેન્દ્ર મોદી પ્રેરિત ખાદી ફોર નેશન,ખાદી ફોર ફેશનની મુહિમમાં સહભાગી થયા હતા. સ્વદેશીના પ્રતીક સમાન ખાદીની ખરીદી કરીને તેમણે 'વોકલ ફોર લોકલ' (Vocal for Local) અને 'આત્મનિર્ભર ભારત' (Atmanirbhar Bharat) ના ધ્યેય ને સાકાર કરવાની દિશામાં પોતાનું યોગદાન અર્પણ કર્યું હતું.

Gandhi Jayanti 2025

CM ભૂપેન્દ્ર પટેલે ખાદીની ખરીદી કરી

Ahmedabad News: CM ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) થલતેજ વિસ્તારમાં આવેલા ભારત ખાદી ગ્રામોદ્યોગ સંઘના યુનિટ યશ ખાદી એમ્પોરિયમ અને સિંધુ ભવન રોડ પર આવેલા ખાદી ઇન્ડિયાના યુનીટ ઓમ ખાદીમાંથી ખાદીની ખરીદી કરી હતી. તેમણે આ સંદર્ભમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના ખાદીના વિચારને સાચા અર્થમાં સાકાર કરીને સ્વદેશી ઉત્પાદન ખાદી અને પોલીવસ્ત્રની ઉત્પાદનની કિંમત ઉપર ગાંધી જયંતી 2 ઓક્ટોબર 2025થી 30% ખાસ બજાર પ્રોત્સાહન સહાય આપવાનો નિર્ણય કર્યો છે. ગ્રાહકોને ખાદી ખરીદી ઉપર આ લાભ 31 ડિસેમ્બર 2025 સુધી વળતર તરીકે મળશે.

30% ખાસ બજાર પ્રોત્સાહન સહાય આપવાનો નિર્ણય

PMએ 'ખાદી ફોર ફેશન - ખાદી ફોર નેશન'(Khadi for Fashion, Khadi for Nation) ના ધ્યેય સાથે આત્મનિર્ભર અને સમૃદ્ધ ભારત માટે વધુને વધુ સ્વદેશી ચીજ વસ્તુઓના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગના આપેલા વિચારને ખાદીમાં વળતરના આ નિર્ણયથી વેગ મળશે. ગાંધી જયંતી નિમિત્તે 30% ખાસ બજાર પ્રોત્સાહન સહાય જાહેર થવાથી રાજ્યમાં ખાદી અને પોલીવસ્ત્રના ઉત્પાદન સાથે સંકળાયેલી સંસ્થાઓ, મંડળીઓના કારીગરો દ્વારા ઉત્પાદિત થતા આસન, શેતરંજી, રેશમ પટોળા, ઉની સ્વેટર, જર્સી, શાલ તેમજ ખાદીના વિવિધ રેડીમેઈડ ગારમેન્ટ અને હાથ બનાવટની ચીજ વસ્તુઓના વેચાણમાં વધારો થશે.

'વોકલ ફોર લોકલ' અને 'હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી' માટે PM નરેન્દ્ર મોદીએ આપેલા આહવાનને ઝીલી લઈને સ્વદેશીની પ્રતિક ખાદીમાં ગાંધી જયંતીથી રાજ્યમાં માતબર વળતર આપવાનો અભિગમ અપનાવ્યો છે.

ખાદીના વેચાણને પ્રોત્સાહન અપાશે

રાજ્યમાં ખાદી(Khadi)ના વેચાણ અને પ્રોત્સાહન આપવા ગાંધી જયંતી નિમિત્તે વિવિધ સ્થળોએ પ્રદર્શન સહ વેચાણ મેળા ખાદી બોર્ડ દ્વારા યોજવામાં આવે છે. આ વર્ષે ગાંધી જયંતી અવસરે 5 ઓક્ટોબર 2025થી 14 ઓક્ટોબર 2025 દરમિયાન ભરૂચ, 5 નવેમ્બર 2025થી 14 નવેમ્બર 2025 દરમિયાન ચીખલી અને 16 નવેમ્બર 2025થી 25 નવેમ્બર 2025 દરમિયાન વાપી ખાતે પ્રદર્શન સહિત વેચાણમેળાનું આયોજન કરવામાં આવશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X