ગાંધીનગર મેયર બોલ્યા, 'મોદી સાચા વિકાસપુરૂષ'

અત્રે એ વાત નોંધનીય છે કે રાણા દ્વારા અગાવ એક પત્ર લખવામાં આવ્યો હતો, જેમાં તેમણે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીની ટીકા કરી હતી અને કહ્યું હતું કે, સ્થાનિક ઉમેદવાર પર વધારે પસંદગી ઉતારવી જોઇએ અને ચૂંટણી લડવા માટે ગાંધીનગર જિલ્લામાં બહારથી લોકોને લાવવા જોઇએ નહીં.
હવે તેમણે બીજો એક પત્ર શનિવારે લખ્યો છે, જેમાં તેમણે ધમકી આપી છે કે જો ટિકીટની વહેંચણી વખતે તેમની વાતને ધ્યાનમાં લેવામાં નહીં આવે તો તે કોંગ્રેસ પાર્ટી સાથેનો છેડો ફાડી નાંખશે. તેમના આ પ્રકારના નિવેદન પરથી એવું લાગી રહ્યું છે કે તેઓ પાર્ટી છોડવાના મૂડમાં છે. સૂત્રો પાસેથી જાણવા મળ્યા પ્રમાણે રાણા અને અન્ય છ કોંગ્રેસી કોર્પોરેટર્સ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઇ શકે છે.
ઉલ્લેખનીય છે કે, જો રાણા અને અન્ય છ કોર્પોરેટર્સ ભાજપના જોડાઇ જાય તો ગાંધીનગર મહાનગરપાલિકાની સત્તા કોંગ્રેસના હાથમાંથી જતી રહેશે, કારણ કે 33 સભ્યોની મહાનગરપાલિકામાં ભાજપના 15 અને કોંગ્રેસના 18 કોર્પોરેટર્સ છે.
કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે કે, રાણા સાથે પાર્ટીના ટોચના નેતાઓ ચર્ચા કરી રહ્યાં છે અને આ મુદ્દાનું નિરાકરણ ટૂંક સમયમાં લાવી દેવામાં આવશે. કોંગ્રેસ દ્વારા કાલોલ બેઠક પર બલદેવ ઠાકોર, ગાંધીનગર સાઉથ બેઠક પર નરહરી અમિન અને ગાંધીનગર શહેરની બેઠક પરથી ઇન્દ્રવિજયસિંહ ગોહિલને ઉભા રાખવાની રણનીતિ બનાવતા રાણાએ તેનો સખત શબ્દોમાં વિરોધ કર્યો છે.












Click it and Unblock the Notifications
