બિનસચિવાલય પરીક્ષા ગેરરીતિ મામલે સરકાર ઝૂકી, SITની રચના કરાશે, વિદ્યાર્થીઓએ ગણાવી લોલીપોપ
બિનસચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ મામલે ચાલી રહેલ હોબાળો હવે વધુ ઉગ્ર બની રહ્યો છે. પરીક્ષાર્થીઓ ગઈ કાલથી આંદોલન કરી રહ્યા છે અને આંદોલન વધુ ઉગ્ર બનતા હવે સરકાર 24 કલાક બાદ ઝૂકી છે.
બિનસચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ મામલે ચાલી રહેલ હોબાળો હવે વધુ ઉગ્ર બની રહ્યો છે. પરીક્ષાર્થીઓ ગઈ કાલથી આંદોલન કરી રહ્યા છે અને આંદોલન વધુ ઉગ્ર બનતા હવે સરકાર 24 કલાક બાદ ઝૂકી છે. જિલ્લા કલેક્ટરે એસઆઈટીની રચના કરવા માટે કહ્યુ છે જેને પરીક્ષાર્થીઓએ લોલીપોપ સમાન ગણાવ્યુ છે. આંદોલનકારીઓ યુવરાજસિંહ સહિત અન્ય બે પ્રતિનિધિઓ સાથે જિલ્લા કલેક્ટરની વાતચીત ચાલી રહી છે અને તમને મનાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે પરંતુ પરીક્ષાર્થીઓ બિન સચિવાલયની પરીક્ષા રદ ન થાય ત્યાં સુધી આંદોલન નહિ સમેટવા માટે મક્કમ છે. યુવરાજસિંહે જણાવ્યુ છે કે કોઈ પણ સંજોગોમાં બિન સચિવાલયની પરીક્ષાનુ પરિણામ જાહેર નહિ થાય.

બિનસચિવાલયની પરીક્ષામાં ઘણા પરીક્ષા કેન્દ્રો પર ચોરી થઈ હોવાના આક્ષેપ સાથે બુધવારે સવારથી આ આંદોલન શરૂ થયુ હતુ. રાજ્યભરમાંથી આવેલા 5 હજાર પરીક્ષાર્થીઓએ આખી રાત ઠંડીમાં રોડ પર વિતાવી હતી. આજે વહેલી સવારે પણ વિદ્યાર્થીઓ ગાંધીનગરના રસ્તાઓ પર સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ આજે સવારે બિનસચિવાલયની પરીક્ષાના ઉમેદવારો મળવા પહોંચ્યા હતા અને કહ્યુ હતુ કે હું આંદોલનકારીઓની સાછે છુ અને તેમની લડતમાં ભાગીદાર છુ. તેમણે કહ્યુ કે સરકારે આંદોલનકારીઓની વાત સાંભળવી જોઈએ. આજે હું રાજ્યપાલને ફોન કરશ અને જો બની શકે તો આ પરીક્ષા રદ કરવામાં આવે.
ઉલ્લેખનીય છે કે આંદોલનકારીઓએ પરીક્ષા રદ કરવાની માંગ કરીને કહ્યુ છે કે જ્યાં સુધી પરીક્ષા રદ નહિ થાય ત્યાં સુધી અમે અહીંથી હટીશુ નહિ પરંતુ સરકારે પરીક્ષા રદ કરવાની ના પાડી દીધી હતી. જેના કારણે આંદોલનના પડઘા અન્ય જિલ્લાઓમાં પણ પડવાની સંભાવના છે. આજે બીજા 15 હજાર જેટલા ઉમેદવારો આદંલનમાં જોડાય તેવી સંભાવના છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
