For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જામનગરની બળાત્કાર પીડિતાની ઓળખ થઇ જાહેર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 29 જુલાઇ: ગુજરાતના માહિતી વિભાગે એક બળાત્કાર પીડિતાનો ફોટો જાહેર કરી તેની ઓળખ જાહેર કરી દિધી છે, જેથી રાજ્ય સરકારને શરમાવવાનો વારો આવ્યો છે. જામનગરમાં ગત અઠવાડિયે આ સાત વર્ષીય બાળકી સાથે બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. માહિતી વિભાગ દ્વારા થયેલી આ મોટી ભૂલ બાદ રાજ્ય સરકારે જામનગરમાં સંબંધિત અધિકારીઓ પાસે જવાબ માંગ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ માઇનોર બાળકીના એક સંબંધી રામકૃષ્ણ ચૌહાણે (25) શુક્રવારે તેને ફોસલાવીને પોતાની રિક્શામાં લઇ ગયો હતો અને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. પીડિતાના પરિવારજનોની ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી.

રાજ્યના શિક્ષણ તથા મહિલા અને બાળ કલ્યાણ મંત્રી વાસુ ત્રિવેદીએ રવિવારે જામનગરના સરકારી હોસ્પિટલની મુલાકાત લીધી હતી, જ્યાં આ પીડિત બાળકીની સારવાર ચાલી રહી છે. જામનગરના માહિતી વિભાગે મંત્રીની હોસ્પિટલની મુલાકાત સંબંધી માહિતી આપતાં એક અખબારી યાદી જાહેર કરી હતી.

માહિતી વિભાગા દ્વારા જાહેર કરવામાં આવેલા પાંચ ફોટામાંથી ચાર ફોટામાં પીડિતા હોસ્પિટલની પથારી સુતેલી છે અને આ દરમિયાન મંત્રી તેના પરિવાર સાથે વાતચીત કરતાં બતાવવામાં આવ્યા છે.

English summary
In a major embarrassment to Gujarat government, the state information department revealed the identity of a rape victim by releasing her photograph.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X