જામનગરની બળાત્કાર પીડિતાની ઓળખ થઇ જાહેર
ગાંધીનગર, 29 જુલાઇ: ગુજરાતના માહિતી વિભાગે એક બળાત્કાર પીડિતાનો ફોટો જાહેર કરી તેની ઓળખ જાહેર કરી દિધી છે, જેથી રાજ્ય સરકારને શરમાવવાનો વારો આવ્યો છે. જામનગરમાં ગત અઠવાડિયે આ સાત વર્ષીય બાળકી સાથે બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. માહિતી વિભાગ દ્વારા થયેલી આ મોટી ભૂલ બાદ રાજ્ય સરકારે જામનગરમાં સંબંધિત અધિકારીઓ પાસે જવાબ માંગ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ માઇનોર બાળકીના એક સંબંધી રામકૃષ્ણ ચૌહાણે (25) શુક્રવારે તેને ફોસલાવીને પોતાની રિક્શામાં લઇ ગયો હતો અને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. પીડિતાના પરિવારજનોની ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી.
રાજ્યના શિક્ષણ તથા મહિલા અને બાળ કલ્યાણ મંત્રી વાસુ ત્રિવેદીએ રવિવારે જામનગરના સરકારી હોસ્પિટલની મુલાકાત લીધી હતી, જ્યાં આ પીડિત બાળકીની સારવાર ચાલી રહી છે. જામનગરના માહિતી વિભાગે મંત્રીની હોસ્પિટલની મુલાકાત સંબંધી માહિતી આપતાં એક અખબારી યાદી જાહેર કરી હતી.
માહિતી વિભાગા દ્વારા જાહેર કરવામાં આવેલા પાંચ ફોટામાંથી ચાર ફોટામાં પીડિતા હોસ્પિટલની પથારી સુતેલી છે અને આ દરમિયાન મંત્રી તેના પરિવાર સાથે વાતચીત કરતાં બતાવવામાં આવ્યા છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના








Click it and Unblock the Notifications
