પાકિસ્તાનનની જેલમાંથી મુક્ત 75 માછીમારો પહોંચ્યા વેરાવળ

વેરાવળ ખાતે પહોંચ્યા પાકિસ્તાન જેલથી છૂટેલા 75 માછીમારો. પરિવારજનોને મળીને સર્જાયા સુખદ ક્ષણો. વધુ વાંચો આ અંગે અહીં.

પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા 70 ઉપરાંત માછીમારો વેરાવળ ફીશરીજ પહોંચ્યા હતા. જ્યાં તેમના પરિવારજનો તેમને આવકારવા પહોંચતા લાગણીભર્યા દ્રશ્યો સર્જાયા હતા. પાકિસ્તાથી આવેલા માછીમારો પૈકી મોટા ભાગન ગીર સોમનાથ તથા ઉનાના છે. આ અંગે વેરાવળની ફિશરીજ ઓફિસના અધિકારીઓએ જણાવ્યું હતું કે બે દેશોની દરિયાઈ સીમા ઓળંગીને પાકિસ્તાન પહોંચી ગયેલા માછીમારોને પાકિસ્તાન સરકારે મુક્ત કર્યા છે. અને ૧૪૭ માછીમારોમાંથી ૭૪ ગત રાત્રે ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસમાં વડોદરા આવ્યા હતા. ત્યાંથી બસ દ્વારા આજે તેઓ ફિશરીઝ ઓફિસ વેરાવળ પહોચ્યા હતા. જ્યાં તેમની પોલીસ ચકાસણી પણ કરવામાં આવશે.

gujarati fisherman

જે બાકીના 72 જેટલા માછીમારો છે. તેઓ પણ આજે ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસ દ્વારા વડોદરા પહોંચશે અને આવતીકાલે 12 તારીખે બપોરે 2 વાગ્યા સુધીમાં વેરાવળ આવી જશે. જે બાદ તેમની પણ પોલીસ તપાસ કરી, વેરીફિકેશન પછી તેમના ઘરે મોકલવામાં આવશે. અન્ય માછીમારોના પરિવાર પણ કાલે તેમના પ્રિયજનોને લેવા આવશે. આમ મોટી સંખ્યામાં ગુજરાતી માછીમારો લાંબા સમય સુધી પાકિસ્તાન જેલમાં રહી માદરે વતન પરત ફરતા તેમના પરિવારજનો અને માછીમારોના ચહેરા પર ખુશી છવાઇ ગઇ હતી. ઉલ્લેખનીય છે કે અગાઉ પાકિસ્તાને 145 જેટલા માછીમારોને મુક્ત કર્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X