પાકિસ્તાનનની જેલમાંથી મુક્ત 75 માછીમારો પહોંચ્યા વેરાવળ
વેરાવળ ખાતે પહોંચ્યા પાકિસ્તાન જેલથી છૂટેલા 75 માછીમારો. પરિવારજનોને મળીને સર્જાયા સુખદ ક્ષણો. વધુ વાંચો આ અંગે અહીં.
પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા 70 ઉપરાંત માછીમારો વેરાવળ ફીશરીજ પહોંચ્યા હતા. જ્યાં તેમના પરિવારજનો તેમને આવકારવા પહોંચતા લાગણીભર્યા દ્રશ્યો સર્જાયા હતા. પાકિસ્તાથી આવેલા માછીમારો પૈકી મોટા ભાગન ગીર સોમનાથ તથા ઉનાના છે. આ અંગે વેરાવળની ફિશરીજ ઓફિસના અધિકારીઓએ જણાવ્યું હતું કે બે દેશોની દરિયાઈ સીમા ઓળંગીને પાકિસ્તાન પહોંચી ગયેલા માછીમારોને પાકિસ્તાન સરકારે મુક્ત કર્યા છે. અને ૧૪૭ માછીમારોમાંથી ૭૪ ગત રાત્રે ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસમાં વડોદરા આવ્યા હતા. ત્યાંથી બસ દ્વારા આજે તેઓ ફિશરીઝ ઓફિસ વેરાવળ પહોચ્યા હતા. જ્યાં તેમની પોલીસ ચકાસણી પણ કરવામાં આવશે.

જે બાકીના 72 જેટલા માછીમારો છે. તેઓ પણ આજે ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસ દ્વારા વડોદરા પહોંચશે અને આવતીકાલે 12 તારીખે બપોરે 2 વાગ્યા સુધીમાં વેરાવળ આવી જશે. જે બાદ તેમની પણ પોલીસ તપાસ કરી, વેરીફિકેશન પછી તેમના ઘરે મોકલવામાં આવશે. અન્ય માછીમારોના પરિવાર પણ કાલે તેમના પ્રિયજનોને લેવા આવશે. આમ મોટી સંખ્યામાં ગુજરાતી માછીમારો લાંબા સમય સુધી પાકિસ્તાન જેલમાં રહી માદરે વતન પરત ફરતા તેમના પરિવારજનો અને માછીમારોના ચહેરા પર ખુશી છવાઇ ગઇ હતી. ઉલ્લેખનીય છે કે અગાઉ પાકિસ્તાને 145 જેટલા માછીમારોને મુક્ત કર્યા હતા.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા





Click it and Unblock the Notifications
