અમિત શાહ આજે ભાજપની ગુજરાત ગૌરવ યાત્રાને આજે બતાવશે લીલી ઝંડી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુરુવારે ત્રણ રુટ પર ગુજરાત ગૌરવ યાત્રાને લીલી ઝંડી બતાવશે.
Gujarat Assembly Election: ભારતીય જનતા પાર્ટી આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તેના પ્રચારને વેગ આપવા માટે રાજ્યમાં પાંચ અલગ-અલગ સ્થળોએથી ગૌરવ યાત્રા કાઢશે. ગુજરાતમાં પાંચ અલગ-અલગ સ્થળોએથી ફ્લેગ ઑફ કરવામાં આવશે અને 10 દિવસની આ યાત્રા રાજ્યની 182 વિધાનસભા બેઠકોમાંથી 144 બેઠકોમાંથી પસાર થશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુરુવારે ત્રણ રુટ પર ગુજરાત ગૌરવ યાત્રાને લીલી ઝંડી બતાવશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપની ગૌરવ યાત્રાને ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે. અમિત શાહ આજે જે ત્રણ રૂટ પર ગૌરવ યાત્રાનુ ઉદ્ઘાટન કરશે તેમાં અમદાવાદ જિલ્લાના ઝાંઝરકા ગામમાં સંત સવાઈનાથ મંદિર, અન્ય બે રૂટ નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલા ઉનઈ માતા મંદિરના છે. અમિત શાહ સવારે 10.30 વાગ્યે અમદાવાદના ઝાંઝરકામાં સંત શ્રી સવૈયા નાથ સમાધિ સ્થાને શ્રદ્ધાંજલિ આપશે. આ પછી શાહ 'ગુજરાત ગૌરવ યાત્રા'નુ ઉદ્ઘાટન કરશે.
અમિત શાહ બપોરે 1 વાગે ગાંધીનગર સાંસદના નવસારી જિલ્લાના ઉનાઈ માતાના મંદિરે પૂજા અર્ચના કરશે. ત્યાર બાદ ત્યાંથી 'ગુજરાત ગૌરવ યાત્રા' અને 'આદિવાસી વિકાસ યાત્રા'ની પણ શરુઆત કરશે. તમને જણાવી દઈએ કે બુધવારે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ મહેસાણા જિલ્લાના બહુચરાજીથી 'ગુજરાત ગૌરવ યાત્રા'ને લીલી ઝંડી બતાવી હતી. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ભાજપના અનેક નેતાઓ હાજર રહ્યા હતા.
જેપી નડ્ડાએ આ પ્રસંગે એક જાહેર સભા દરમિયાન કહ્યુ હતુ કે, 'ભાજપ પાસે સક્રિય, સમર્થક, જવાબદાર અને ઉત્તરદાયી સરકાર છે. ભાજપ સરકાર લોકોની દુર્દશા સમજે છે. કોંગ્રેસે વર્ષો સુધી શું કર્યુ? ભાઈઓ વિરુદ્ધ ભાઈઓને ઉભા કર્યા. લોકોને દરેક ક્ષેત્રે એકબીજા સામે લડાવ્યા છે. જ્યાં વીજળી અને પાણીની જરૂર હતી ત્યાં પાણી પૂરુ પાડવામાં આવ્યુ નથી. જે વિકાસ યાત્રા હાથ ધરવાની હતી તે અટકાવી ભટકાવી, લટકાવી. હવે તેઓ પોતે જ ફસાઈ ગયા છે.' તેમણે કહ્યુ કે, 'ગૌરવ યાત્રા' માત્ર ગુજરાત માટે નથી, સમગ્ર ભારત માટે ગૌરવ સ્થાપિત કરવાની યાત્રા છે. એ સૌભાગ્યની વાત છે કે ગુજરાત દેશને વૈશ્વિક નકશા પર ફરીથી સ્થાપિત કરવા માટે 'ગૌરવ યાત્રા'ની ગંગોત્રી છે. તેને આત્મનિર્ભર બનાવો, વિકસિત કરો.'
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી







Click it and Unblock the Notifications
