મંદિર-તીર્થ સ્થળો પર ભીખ માંગનારાઓને જેલમાં નાખી દેવામાં આવશે, ગુજરાત સરકારની અધિસૂચના
તીર્થ સ્થળો પર ભીખ માંગનારા લોકોને જેલ થઈ શકે છે કારણકે ગુજરાત સરકારે એક અધિસૂચના જારી કરી છે.
તીર્થ સ્થળો પર ભીખ માંગનારા લોકોને જેલ થઈ શકે છે કારણકે ગુજરાત સરકારે એક અધિસૂચના જારી કરી છે. અધિસૂચના હેઠળ હવે રાજ્યમાં વર્તમાન યાત્રાધામોમાં ભીખ માંગવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ રીતના આદેશને સામાજિક ન્યાય તેમજ અધિકારિતા વિભાગે પણ સ્વીકૃતિ આપી દીધી છે. એ કહેવામાં આવ્યુ છે કે સરકારી આદેશનુ ઉલ્લંઘન કરનારાને જેલમાં નાખી દેવામાં આવશે.

તમને જણાવી દઈએ કે આમ તો રાજ્યમાં 1960માં સ્થાપના કાળથી ભિક્ષાવૃત્તિ પર પ્રતિબંધ લાગેલો હતો પરંતુ આના પર અત્યાર સુધી કડકાઈથી અમલ નહોતો થઈ રહ્યો. જે ઉપરાંત સામાજિક ન્યાય વિભાગ દ્વારા જારી અધિસૂચનામાં કહેવામાં આવ્યુ છે કે રાજ્યના દત્તાત્રેય, ગિરનાર સહિત અન્ય તીર્થસ્થળો જેમાં જૂનાગઢ મહાનગરપાલિકા, ખેડા જિલ્લાની ડાકોર નગરપાલિકા, માતૃગયા, સિદ્ધપુરપાલિકા, શેત્રુંજય તીર્થ પાલીતાણા નાગરપાલિકા તથા પાવાગઢની ચાંપેનેર ગ્રામપંચાયત, બહુચરાજી ગ્રામપંચાયત, શામળાજી ગ્રામપંચાયતમાં ભિક્ષાપ્રવૃત્તિ પ્રતિબંધ અધિનિયમ 1959 પૂર્ણતઃ અમલ કરવામાં આવશે.
રાજ્યપત્રમાં જે અધિસૂચના જારી કરવામાં આવી છે તે મુજબ ભીખ માંગવો એ એક ગુનો છે. એ જોવામાં આવ્યુ છે કે દેશમાં મોટાભાગના ધાર્મિક સ્થળો પર ભિખારીઓની ભીડ રહે છે. ઘણી વાર આ લોકોના કારણે દર્શન કરવા આવેલા શ્રદ્ધાળુઓને મુશ્કેલી થાય છે. આના પર ધ્યાન આપીને ગુજરાતમાં કાયદા પર અમલ કરવામાં આવ્યો.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
