ગુજરાતના મુખ્યમંત્રીએ ભાંગરો વાટ્યો, છોકરાઓને કહ્યા 'રિઝેક્ટેડ માલ'!
અમદાવાદ, 20 જૂન: બળાત્કાર અને હત્યાની ઘટનાઓ બાદ વિભિન્ન રાજનૈતિક પાર્ટીઓએ નિવેદનબાજી કરી. ઘણા નેતાઓએ તો નિવેદન આપતી વખતે એ પણ નથી વિચાર્યું તેઓ શું બોલી રહ્યા છે અને તેની શું અસર થશે. જોકે કેટલાંક નેતાઓ એવા પણ છે તેઓ એ જ બોલ્યા જે તેમણે બોલવું જોઇએ. આની વચ્ચે ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે તાજેતરમાં છોકરાઓના વિપક્ષમાં એક વિવાદાસ્પદ નિવેદન આપી દીધું છે.
આનંદીબેન પટેલ સુરતની એક સરકારી શાળામાં બાળકોના પ્રવેશોત્સવ કાર્યક્રમમાં માટે આવી પહોંચ્યા હતા. અત્રે બાળકોને સંબોધિત કરતી વખતે આનંદીબેને જણાવ્યું કે છોકરાઓ તો રિઝેક્ટેડ માલ જેવા થઇ ગયા છે, કોઇ તેમને પસંદ જ નથી કરતું. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આનંદીબેનના આ વિવાદીત નિવેદનનું કારણ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પૂછી શકે છે.
સુરતના ખરવાશા વિસ્તારની મહાનગર પાલિકા સંચાલિત શાળામાં ગુજરાતની મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ભૂલકાઓને શાળામાં પ્રવેશ અપાવ્યો. આ દરમિયાન મુખ્યમંત્રીએ સૌને સંબોધન કર્યું, આનંદીબેને શિક્ષણ પર બોલતા-બોલતા દેશમાં છોકરા અને છોકરીઓની વસ્તી વિષય પર ચાલી ગયા. તેમણે જણાવ્યું કે આવનારા પાંચ-સાત વર્ષ પછી છોકરીઓની ઓછી વસ્તી તેમના જ ફાયદામાં રહેશે, છોકરીઓ અભણ અને બેરોજગાર છોકરાઓને નાપસંદ કરી શકશે બિલકૂલ રિઝેક્ટેડ માલની જેમ.
શું કહ્યું હતું મુખ્યમંત્રી આનંદીબેને વાંચો...
આનંદીબેને શું કહ્યું હતું...
ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે તાજેતરમાં છોકરાઓના વિપક્ષમાં એક વિવાદાસ્પદ નિવેદન આપી દીધું છે.
આનંદીબેને શું કહ્યું હતું...
આનંદીબેન પટેલ સુરતની એક સરકારી શાળામાં બાળકોના પ્રવેશોત્સવ કાર્યક્રમમાં માટે આવી પહોંચ્યા હતા. અત્રે બાળકોને સંબોધિત કરતી વખતે આનંદીબેને જણાવ્યું કે છોકરાઓ તો રિઝેક્ટેડ માલ જેવા થઇ ગયા છે, કોઇ તેમને પસંદ જ નથી કરતું. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આનંદીબેનના આ વિવાદીત નિવેદનનું કારણ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પૂછી શકે છે.
આનંદીબેને શું કહ્યું હતું...
આનંદી બેન પટેલે જણાવ્યું, 'અહીં દિકરીઓ આવીને બોલીને ગઇ, આપને લાગે છે ક્યાંય છોકરીઓ પાછળ છે, છોકરીઓ આગળ છે અને હવે એવો સમય આવ્યો છે કે પાંચ અથવા સાત વર્ષ બાદ છોકરીઓ એટલે આપણા માટે સારુ રહેશે કે જો છોકરીઓની વસ્તી ઓછી રહેશે તો સિલેક્શન કરવામાં તકલીફ નહી થાય. ત્યારબાદ છોકરાઓ માટે સવાલ ઉઠશે. આજની ભણેલી-ગણેલી છોકરીઓ તૈયાર થઇને પોતાનું પર્ફોર્મેન્સ આપશે અને મેલા-ઘેલા અભણ છોકરાઓને પસંદ નહી કરે. એક તો યુવતીઓ ઓછી છે એમાં પણ તે રિઝેક્ટેડ માલને પસંદ નહીં કરે.'
શું નરેન્દ્ર મોદી માંગશે જવાબ
આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આનંદીબેનના આ વિવાદીત નિવેદનનું કારણ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પૂછી શકે છે.