વિજય રૂપાણીનો ઓડિયો વાયરલ,ઉમેદવારી પરત લેવાની કરે છે વાત
વિજય રૂપાણીની ઓડિયો ક્લિપ વાયરલઓડિયોમાં ઉમેદવારી પત્ર પાછુ ખેંચવાની વાત કરતા સાંભળવા મળ્યાઆ અંગે વધુ વાંચો અહીં...
વિધાનસભા ચૂંટણીની તારીખો જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ-તેમ વિવાદો વધતા જાય છે. હાલમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની એક ઓડિયો ક્લિપ સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહી છે, જેમાં સુરેન્દ્રનગરના નરેશ સંગીતમ સાથે વાત કરતા સાંભળવા મળે છે. આ ઓડિયોમાં વિજય રૂપાણી ઉમેદવારી ફોર્મ પાછુ ખેંચવાનું કહેતા અને સાથે જ પોતાની આપવીતી વર્ણવતા સાંભળવા મળે છે. સાથે જ તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોનનો અને પોતે ભારતમાં એક માત્ર જૈન મુખ્યમંત્રી હોવાનો ઉલ્લેખ કરતા પણ સાંભળવા મળે છે. વનઇન્ડિયા ગુજરાતી કોઇ રીતે આ ઓડિયો ક્લિપની પુષ્ટિ કરતું નથી. આ ઓડિયો ક્લિપ મામલે મુખ્યમંત્રી વિજાય રૂપાણી તરફથી કોઇ પ્રતિક્રિયા આવી નથી.
ઓડિયો ક્લિપમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નરેશ સંગીતમ વચ્ચે જે વાતો સાંભળવા મળે છે, એ કઇંક આવી છે.
વિજય
રૂપાણી
-
નરેશભાઇ,
આપણે
લડવાનું
નથી.
ફોર્મ
પાછા
જ
લેવાના
છે,
કારણ
કે
આખા
ભારતમાં
એક
જ
જૈન
મુખ્યમંત્રી
છે.
નરેશ
-
બરાબર
વિજય
રૂપાણી
-
મને
નરેન્દ્રભાઇનો
ફોન
આવ્યો
હતો,
તેમણે
કહ્યું
કે
5
ટકા
જૈન
નથી
છતાં
અમે
જૈનને
મુખ્યમંત્રી
બનાવ્યા
છે.
અને
સુરેન્દ્રનગરમાં
જૈનો
માન્યા
કે
નહીં?
નરેશ
-
હા,
કેમ
ના
માને..
વિજય
રૂપાણી
-
આપણા
સૌની
પરિસ્થિતિ
ખરાબ
છે,
મારી
સ્થિતિ
વધારે
ખરાબ
થઇ
રહી
છે
નરેશ
-
અમે
તમારી
પરિસ્થિતિ
ખરાબ
નહીં
થવા
દઇએ,
તમારો
સાથે
આપીશું.