ભાજપના ચૂંટણી રથને મનસુખ માંડવિયાએ કરાવ્યું પ્રસ્થાન
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કેન્દ્રીય રાજ્યમંત્રી મનસુખ માંડવિયાએ ભાજપના ચૂંટણી રથને આપી લીલી ઝંડી. જાણો શું છે ખાસ આ ચૂંટણી રથમાં.
ગુજરાત વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો મતદારો તેમના તરફ ઝૂકે તે માટેનું અભિયાન તેજ બનાવી રહ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્ય અને કેન્દ્ર સરકારે કરેલા કાર્યોને લોકો સુધી પહોંચાડવા માટે ચૂંટણી રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે. આ રથને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા તેમજ રાષ્ટ્રીય મહામંત્રી અનિલ જૈને અમદાવાદ મીડિયા સેન્ટર ખાતેથી કરાવ્યું હતું. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે આવા ૪ રથ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ફરશે. જેમાં સ્થાનિક કલાકારો સંગીત અને નૃત્યના માધ્યમ દ્વાાર પાર્ટીના વિકાસ કાર્યોનું નિદર્શન જનતા સામે કરશે.
ચૂંટણી રથમાં મુખ્યત્વે ભારતીય જનતા પાર્ટીએ નર્મદા ડેમ, બુલેટ ટ્રેન, ઉજ્જવલા યોજનાને ચિત્રોના માધ્યમથી રજૂ કરવામાં આવશે. ખાસ કરીને ભાજપાએ છેલ્લા ૨૨ વર્ષોમાં ગુજરાતમાં કેટલા વિકાસકાર્યો કર્યા છે તે બાબતોને ચૂંટણી રથમાં આવરી લેવાશે. ત્યારે હવે આ રથને લોકો દ્વારા કેવો પ્રતિસાદ મળશે તે જોવાનું રહે છે. ઉલ્લેખનીય છે કે ભાજપ અને રથને જૂનો સંબંધ છે. અડવાણીથી લઇને પીએમ મોદી સુધી આ પહેલા પણ રથયાત્રાઓ દ્વારા પોતાનો મત લોકો સુધી લઇ જવામાં સફળ રહ્યા છે.
"હું છું વિકાસ, હું છું ગુજરાત" એ નારો જન સામાન્યની લાગણી બની ગુજરાતમાં ગુંજી રહ્યો છે, આ મંત્રને વધુ બુલંદ બનાવવા - "દરેક ગુજરાતીનો એક જ અવાજ; હું છું વિકાસ, હું છું ગુજરાત" થીમ પર બનાવેલા 'ચૂંટણી પ્રચાર રથ'નું અમદાવાદ ખાતેથી પ્રસ્થાન કરાવ્યું. pic.twitter.com/3lUg0J2Zmg
— Mansukh Mandaviya (@mansukhmandviya) November 15, 2017