રવિ-સોમ ગુજરાતમાં પીએમ મોદી, 2 દિવસમાં 7 સભા ગજવશે
રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાત પધારનાર છે.3જી અને 4થી ડિસેમ્બર દરમિયાન પીએમ મોદી રાજ્યની મુલાકાત લેનાર છે અને આ દરમિયાન 7 રેલીઓ કરશે.આ અંગે વધુ વાંચો અહીં
રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાત પધારનાર છે. વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીએ 170થી વધુ રેલીઓ કરી છે અને રાજ્યમાં 37થી વધુ રેલીઓ કરી છે. 3જી અને 4થી ડિસેમ્બર દરમિયાન પીએમ મોદી રાજ્યની મુલાકાત લેનાર છે અને આ દરમિયાન 7 રેલીઓ કરશે. પહેલા તબક્કાની ચૂંટણી 9 ડિસેમ્બરે યોજાનાર છે, એ વાતને ધ્યાનમાં રાખતા જ રેલીના સ્થળો નક્કી કરવામાં આવ્યા છે. 3જી ડિસેમ્બરના રોજ નરેન્દ્ર મોદી ભરૂચ, સુરેન્દ્રનગર અને રાજકોટમાં જનસભા સંબોધનાર છે. ત્યાર બાદ સાંજે 5 વાગે તેઓ સાણંદના ચારોડી ખાતે શ્રી સ્વામીનારાયણ ગુરૂકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ(SGVP)ના કાર્યક્રમમાં ભાગ લેશે.

ભાજપ દ્વારા પીએમ મોદીની આ રેલીઓ રણનીતિ હેઠળ એવા વિસ્તારોમાં રાખવામાં આવી છે, જ્યાં ભાજપને થોડા બળની જરૂર છે. આ વિસ્તારો એવા છે, જ્યાં એકજ વિસ્તારમાં 4થી 5 બેઠકોનો સમાવેશ થતો હોય. સુરેન્દ્રનગરમાં 5 વિધાનસભા બેઠકો છે, જ્યાં ભાજપની પરિસ્થિતિ નબળી છે. અહીં કોંગ્રેસ પાસે સોમાભાઇ પટેલની વોટ બેંકનો આધાર છે, તો ભરૂચમાં કોંગ્રેસના વરિષ્ઠ અહમદ પટેલનું વર્ચસ્વ છે. રવિવારે નરેન્દ્ર મોદી વડોદરા એરપોર્ટ પણ થોડો સમય પસાર કરનાર છે. આથી આ બિલ્ડિંગનું સ્ટ્રક્ચર યોગ્ય છે કે નહીં, બિલ્ડિંગ તૂટે એમ છે કે નહીં, શોટ-સર્કિટ થાય એવું તો નથી વગેરે માટે તપાસ આદરવામાં આવી હતી. આ કામગીરીને કારણે થોડો વિવાદ પણ સર્જાયો હતો.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા





Click it and Unblock the Notifications
