ગુજરાતની જનતાએ 6ઠ્ઠીવાર BJP પર વિશ્વાસ મુક્યો: વિજય રૂપાણી
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પત્રકાર પરિષદનું સંબોધન કર્યું હતું. ભાજપની જીત અંગે ખુશી વ્યક્ત કરતાં તેમણે કહ્યું હતું કે, અમે આગામી 5 વર્ષો સુધી વિકાસના કાર્યો કરતાં રહીશું. આ અંગે વધુ વાંચો અહીં.
અમિત શાહ બાદ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પત્રકાર પરિષદનું સંબોધન કર્યું હતું. ભાજપની જીત અંગે ખુશી વ્યક્ત કરતાં તેમણે કહ્યું હતું કે, અમે આગામી 5 વર્ષો સુધી વિકાસના કાર્યો કરતાં રહીશું, હું ભાજપ તરફથી જનતાને વિશ્વાસ આપું છું. ભાજપની જીત બાદ હવે સવાલ એ છે કે, ગુજરાતમાં મુખ્યમંત્રી પદની ખુરશી કોણી સંભાળશે. કેટલીક જગ્યાઓએ વાતો વહેતી થઇ હતી કે, ભાજપ વિજય રૂપાણીને જ મુખ્યમંત્રી પદ સોંપવાની તૈયારી કરી રહ્યું છે.જો કે, આ અંગે વિજય રૂપાણીએ કહ્યું હતુંકે, આનો નિર્ણય હાઇકમાન્ડ કરશે.

કોંગ્રેસ પર પ્રહારો કરતાં વિજય રૂપાણીએ કહ્યું કે, કોંગ્રેસે, જાતિવાદ, તુષ્ટિકરણનો સહારો લીધો. પરંતુ જનતા તેમની વાતમાં આવી નથી. આજે છઠ્ઠીવાર જનતાએ ભાજપમાં વિકાસ વ્યક્ત કર્યો છે. આ માટે હું ગુજરાતની જનતાનો આભાર માનું છું. તેમણે વડાપ્રધાન વિશ્વાસ મુક્યો છે.ભાજપ જનતાની ઇચ્છાનુસાર જ આગળ વધશે. હું આ જીતનો શ્રેય ગુજરાતના લોકોને આપું છું. અમે 150 બેઠકોનો લક્ષ્યાંક ભલે પૂરો ન કરી શક્યાં, પરંતુ આ અંગે વિશ્લેષણ કરવામાં આવશે. આજે વિકાસ જીત્યો છે, ગુજરાત જીત્યું છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
