Gujarat Election: બિલકિસ બાનોના બળાત્કારીઓને 'સંસ્કારી બ્રાહ્મણ' ગણાવનાર નેતાને ભાજપમાંથી ટિકિટ
ભાજપે જાહેર કરેલી પોતાની ઉમેદવાર યાદીમાં પૂર્વ મંત્રી ચંદ્રસિંહ રાઉલજીનો સમાવેશ કર્યો છે. જાણો તેમણે બિલકિસ બાનાનો બળાત્કારીઓ માટે શું કહ્યુ હતુ.
ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે યોજાનાર મતદાન માટે પૂરજોશમાં ચાલતી તૈયારીઓ દરમિયાન દરેક પક્ષોનુ ઉમેદવારોની યાદી જાહેર કરવાનુ કામ પણ ચાલી રહ્યુ છે. ભાજપે જાહેર કરેલી પોતાની ઉમેદવાર યાદીમાં પૂર્વ મંત્રી ચંદ્રસિંહ રાઉલજીનો સમાવેશ કર્યો છે. આ એ જ મંત્રી છે જેમણે ગોધરા કાંડ વખતે બિલકિસ બાનુના બળાત્કારીઓને સંસ્કારી બ્રાહ્મણ કહ્યા હતા. ચંદ્રસિંહ રાઉલજીને ગોધરાથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આ પહેલા તેઓ છ વાર ચૂંટણી જીતી ચૂક્યા છે. જેના કારણે પાર્ટીએ તેમના પર ભરોસો વ્યક્ત કર્યો છે.

તમને જણાવી દઈએ કે ચંદ્રસિંહ રાઉલજી ગુજરાત સરકારની એ સમિતિનો ભાગ હતા જેણે સર્વાનુમતે બિલકિસ બાનો કેસમાં દોષિત ઠરેલા 11 લોકોને મુક્ત કરવાનો નિર્ણય લીધો હતો. આ પછી તેમને સ્વતંત્રતા દિવસે મુક્ત કરવામાં આવ્યા હતા. દોષિતોનુ ફૂલો અને મીઠાઈઓથી સ્વાગત પણ કરવામાં આવ્યુ હતુ. એક ઈન્ટરવ્યુમાં રાઉલજીએ કહ્યુ હતુ કે તેઓ બ્રાહ્મણ હતા અને બ્રાહ્મણો સંસ્કાર માટે જાણીતા છે. બની શકે કે કોઈને ઘેરવા અને તેમને દંડિત કરવાનો ખોટો ઈરાદો રહ્યો હોય. નોંધનીય છે કે ચંદ્રસિંહ રાઉલજી ગુજરાતના જાણીતા રાજકારણી છે, જેઓ ગોધરા બેઠકનુ પ્રતિનિધિત્વ કરે છે. તેમણે 2007 અને 2012ની ચૂંટણી કોંગ્રેસની ટિકિટ પર જીતી હતી. ત્યારબાદ 2017ની ચૂંટણીમાં તેઓ ભાજપમાં જોડાયા હતા. આ પછી તેમણે ગોધરા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવારને હરાવ્યા હતા. જોકે મતોનુ માર્જિન માત્ર 258 હતુ.
જાણો સમગ્ર મામલો
ગોધરા કાંડ સમયે એક જ પરિવારના 7 સભ્યોની હત્યા અને સામૂહિક બળાત્કારના કેસમાં મુંબઈની વિશેષ CBI કોર્ટે સજા સંભળાવી હતો. કોર્ટે આ નિર્ણય 21 જાન્યુઆરી 2008ના રોજ આપ્યો હતો. જેમાં 11 દોષિતોને આજીવન કેદની સજા થઈ હતી. દોષિતોએ આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો હતો પરંતુ તે ચુકાદો અકબંધ રહ્યો હતો. બિલકિસ બાનોના જે 11 દોષિતોને 15 ઓગસ્ટે તેમની સજા પૂરી થાય તે પહેલા જ મુક્ત કરવામાં આવ્યા હત તેમાં, જસવંતભાઈ નાઈ, ગોવિંદભાઈ નાઈ, શૈલેષ ભટ્ટ, રાધેશ્યામ શાહ, બિપિન ચંદ્ર જોશી, કેસરભાઈ વોહાનિયા, પ્રદીપ મોરઢિયા, બકાભાઈ વોહાનિયા, રાજુભાઈ સોની, મિતેશ ભટ્ટ અને રમેશ ચંદનાનો સમાવેશ થાય છે.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત







Click it and Unblock the Notifications
