શ્રદ્ધા હત્યાને લઇ આસામના CM સરમા થયા ગુસ્સે, કહ્યું- લવ-જેહાદને લઇ બનાવવામાં આવે કડક કાયદો
ગુજરાતમાં 182 વિધાનસભા બેઠકો માટે 1 અને 5 ડિસેમ્બરે મતદાન થશે. જ્યારે 8મી ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. ગુજરાત ચૂંટણીમાં પ્રચાર કરવા આવેલા આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ શ્રદ્ધા હત્યા કેસને લઈને દેશમાં લવ જેહાદને લ
ગુજરાતમાં 182 વિધાનસભા બેઠકો માટે 1 અને 5 ડિસેમ્બરે મતદાન થશે. જ્યારે 8મી ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. ગુજરાત ચૂંટણીમાં પ્રચાર કરવા આવેલા આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ શ્રદ્ધા હત્યા કેસને લઈને દેશમાં લવ જેહાદને લઈને કડક કાયદો બનાવવાની માંગ કરી હતી. એક રેલીને સંબોધિત કરતી વખતે તેણે કહ્યું કે મુંબઈનો એક મુસ્લિમ છોકરો અમારી શ્રદ્ધાને લગ્નના બહાને દિલ્હી લઈ આવ્યો. લગ્ન તો ન થયા, પણ તેણે શ્રદ્ધાના 35 ટુકડા જરૂર કર્યા હતા.
રેલીને સંબોધતા હિમંતા વિશ્વ સરમાએ કહ્યું કે આફતાબે અમારી બહેન શ્રદ્ધાના 35 ટુકડા કર્યા બાદ તેને ફ્રીઝમાં રાખી હતી. દરમિયાન તેણે અન્ય યુવતીને રૂમમાં બોલાવી હતી. તે જ સમયે, જ્યારે પોલીસે તેને પૂછ્યું કે તેણે હિન્દુ યુવતીને જ શા માટે આમંત્રણ આપ્યું? તો તેણે કહ્યું કે હિંદુ છોકરીઓ ભાવુક હોય છે. સરમાએ કહ્યું કે આજે આપણા દેશને આફતાબ જેવા લોકો સામે લડવાની જરૂર છે. તેમણે કહ્યું કે લવ જેહાદ સામે લડવા માટે દેશે કડક કાયદો ઘડવો જોઈએ.
#WATCH | Gujarat: Aftaab killed Shardha & chopped her body into 35 pieces. When police asked why he brought only Hindu girls he said he did it because they're emotional.There're other Aftaab-Shradha too,country needs strict law against 'Love Jihaad': Assam CM HB Sarma in Dhansura pic.twitter.com/5PEc7HsvVh
— ANI (@ANI) November 22, 2022
સરમાએ કહ્યું કે લવ-જેહાદ વિરુદ્ધ માત્ર ભારતીય જનતા પાર્ટી જ કડક કાયદો બનાવી શકે છે. આવી સ્થિતિમાં ભાજપને મત આપો અને આ ચૂંટણીમાં જંગી મતોથી વિજયી બનાવો. તમને જણાવી દઈએ કે શ્રદ્ધા વોકરની હત્યા તેના લિવ-ઈન પાર્ટનર આફતાબે 18 મેના રોજ કરી હતી. આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે તેના સંબંધીઓએ પાલઘર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. જ્યારે પાલઘર પોલીસે તપાસ શરૂ કરી ત્યારે શ્રદ્ધાનું છેલ્લું લોકેશન દિલ્હીમાં મળ્યું હતું, ત્યારબાદ પાલઘર પોલીસે કેસને દિલ્હી ટ્રાન્સફર કર્યો હતો. જ્યારે દિલ્હી પોલીસે શ્રદ્ધાના લિવ-ઈન પાર્ટનરની ધરપકડ કરી ત્યારે સમગ્ર મામલો સામે આવ્યો.
દહેગામ વિધાનસભા મતવિસ્તારના ગુજરાત કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કામિની બા રાઠોડ મંગળવારે ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા હતા. કામિની બાએ તાજેતરમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું કારણ કે પાર્ટી દ્વારા તેમને આગામી વિધાનસભાની ચૂંટણી લડવા માટે ટિકિટ ન આપવામાં આવી હતી. તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા પરંતુ બાદમાં ભાજપે તેમને તેમની પાર્ટીમાં જોડાવાનું આમંત્રણ આપતાં ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી.