Gujarat Election: કોણ છે રીવાબા જાડેજા, જાણો તેમની ક્વોલિફીકેશન, કરીયર
ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. જેમાં ભારતના પ્રખ્યાત ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબાને જામનગર ઉત્તરમાંથી ટિકિટ આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે રીવાબાનું નામ ચોંકાવનારું નથ
ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. જેમાં ભારતના પ્રખ્યાત ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબાને જામનગર ઉત્તરમાંથી ટિકિટ આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે રીવાબાનું નામ ચોંકાવનારું નથી કારણ કે રીવાબા લાંબા સમયથી રાજનીતિ સાથે જોડાયેલી છે પરંતુ હવે તે ચૂંટણી દ્વારા સક્રિય રાજનીતિનો ભાગ બનવા જઈ રહી છે. નોંધનીય છે કે લગ્ન પહેલા રીવા રીવા સોલંકી તરીકે ઓળખાતી હતી.

લાંબા સમયથી રાજકીય કાર્યોથી જોડાયેલા છે રીવાબા
5 સપ્ટેમ્બર 1990ના રોજ જન્મેલા રીવાબા મૂળ રાજકોટના છે. તેમણે આત્મીય ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સ રાજકોટમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. તેના પિતા હરદેવસિંહ સોલંકી ઉદ્યોગપતિ છે અને તે લાંબા સમયથી સામાજિક કાર્યો સાથે સંકળાયેલા છે.

કરણી સેનાના સભ્ય
રિવાબા પોતાની સંસ્કૃતિને ખૂબ પસંદ કરે છે, તે કરણી સેનાના સભ્ય પણ રહી ચૂક્યા છે. કરણી સેનાએ વર્ષ 2018માં પ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવત'નો વિરોધ કર્યો હતો, ત્યારે રિવાબા કરણી સેનાનો અવાજ બની હતી. આ પછી તેમને કરણી સેનાની મહિલા વિંગના વડા બનાવવામાં આવ્યા હતા.

2019માં બીજેપીમાં જોડાયા
રીવાબા વર્ષ 2019માં ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાઈ હતી. ત્યારથી તે ભાજપના તમામ કાર્યક્રમોનો હિસ્સો છે. બાય ધ વે, તેમને નાનપણથી જ રાજકારણનું વાતાવરણ મળ્યું છે કારણ કે તેમના કાકા હરિસિંહ સોલંકી કોંગ્રેસના નેતા રહી ચૂક્યા છે. જો કે તેઓ કોંગ્રેસને પસંદ ન કરીને ભાજપમાં જોડાયા હતા.

રવિન્દ્ર જાડેજા સાથે 2016માં કર્યા લગ્ન
રીવાબાએ વર્ષ 2016માં ક્રિકેટર રવિન્દ્ર જાડેજા સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન એરેન્જ મેરેજ હતા. જાડેજાની બહેન નૈનાએ એક ફેમિલી ફંક્શનમાં રીવાબાને જોયા અને તેમને લાગ્યું કે તે તેના ભાઈ માટે શ્રેષ્ઠ છે અને તે પછી તેણે જાડેજાને રીવાબાને મળવા કહ્યું અને તે પછી બંને મળ્યા અને થોડા દિવસો પછી બંનેએ લગ્ન કરવાની હા પાડી હતી. તમને જણાવી દઈએ કે લગ્નથી બંનેને એક પુત્રી છે.

કોંગ્રેસમાં છે બહેન
તમને જણાવી દઈએ કે માત્ર જાડેજાની પત્ની જ રાજકારણમાં સક્રિય નથી, પરંતુ તેમના પિતા અનિરુદ્ધ સિંહ જાડેજા અને બહેન નયના સિંહ પણ રાજકારણ સાથે જોડાયેલા છે, પરંતુ નોંધનીય છે કે નયના સિંહ કોંગ્રેસ પાર્ટીનો એક ભાગ છે. કોંગ્રેસ પક્ષ દ્વારા તેમને જામનગરના જિલ્લા પ્રમુખ બનાવવામાં આવ્યા છે. બાય ધ વે જાડેજા પરિવારની જામનગરમાં જ 'જદ્દુસ ફૂડ ફિલ્ડ' નામની રેસ્ટોરન્ટ પણ છે.

બીજેપીએ 160 નામોની કરી જાહે્રાત
તમને જણાવી દઈએ કે ગુજરાતમાં બે તબક્કામાં મતદાન થશે. પહેલું મતદાન 1 ડિસેમ્બરે અને બીજું 5 ડિસેમ્બરે થશે. આ ચૂંટણી 182 સીટો માટે લડવામાં આવશે. તેનું પરિણામ 8મી ડિસેમ્બરે આવશે. આજે જાહેર કરવામાં આવેલી પ્રથમ યાદીમાં 160 નામોની જાહેરાત કરવામાં આવી છે.
-
શરૂ થતા પહેલા જ બંધ થશે IPL? કોર્ટે સંભળાવ્યો મહત્વનો નિર્ણય, BCCIની ઉડી ગઈ ઊંઘ -
ગુજરાતમાં હજુ વરસાદથી રાહત નહીં, વરસાદને લઈને મોટી આગાહી -
PNG Connection: ગેસ સંકટ વચ્ચે સૌથી મોટા સમાચાર! માત્ર 24 કલાકમાં દૂર થશે અછત, સરકારે ઉઠાવ્યું આ પગલું -
Dhurandhar 2 BO Collection Day 1: રણવીર સિંહની 'ધુરંધર 2' એ મચાવ્યો ધમાકો, ઓપનિંગ પર તૂટી શકે છે તમામ રેકોર્ડ -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં સતત ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ -
Petrol Diesel Price: 20 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
સુરતમાં ગેસની અછત વચ્ચે શ્રમિકો માટે મેગા કિચન શરૂ કરવામાં આવ્યુ -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
Gold Rate Today: યુદ્ધ વચ્ચે સોનામાં મોટો ઘટાડો, 7000 રુપિયા સસ્તું, કેમ ઘટી રહ્યા છે ભાવ? જાણો લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
