ગુજરાત સરકારની યોજના ખેડૂતો માટે બની માથાનો દુ:ખાવો
ગાંધીનગર, 19 જુલાઇ : ગુજરાત સરકાર રાજ્યના ખેડૂતોની પ્રગતિ અને વિકાસ માટે સતત પ્રગતિશીલ રહી છે. ગુજરાતના ખેડૂતો આધુનિક ટેકનોલોજી સાથે સંકળાયે અને ખેતીમાં સારું ઉત્પાદન મેળવે તથા સરકારની ખેડૂતો લક્ષી યોજનાઓનો મહત્તમ લાભ મેળવી શકે તેવા ઉદ્દેશ સાથે સરકાર વિવિધ યોજનાઓ ઘડતી રહે છે. જો કે રાજ્ય સરકારની આવી બે યોજનાઓ હવે ખેડૂતો માટે માથાના દુ:ખાવા સમાન બની છે.
ગુજરાત સરકારે ખેડૂતો માટે આત્મા (ATMA) અને આઇ(IKisan) કિસાન નામની બે યોજનાઓ અમલમાં મૂકી છે. આ યોજનાઓના અમલીકરણથી રાજયમાં કૃષિ ઉત્પાદન વધશે એવી સરકારને આશા છે. આ માટે યોજના પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટની મદદથી ખેડૂતોને ખેતી સંબંધિત તમામ માહિતી ઘર આંગણે પૂરી પાડવામાં આવે તેવો હેતુ છે.

આ યોજનાઓનો સૌથી મોટો લાભ એ છે કે તેની મદદથી રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં શરૂ કરેલી તમામ યોજનાઓનો લાભ તેમને મળી શકે. આ માટે ખેડૂતોએ ઓનલાઇન નોંધણી કરાવવી પડે છે. આ ઓનલાઇન નોંધણી જ હવે ખેડૂતો માટે મોટી સમસ્યા બની છે. ઓનલાઇન નોંધણી કરવાનો પ્રયાસ કરતા ખેડૂતોને નોંધણી કરતા સમયે ટેકનિકલ સમસ્યા નડે છે એથવા સોફ્ટવેસ સંબંધિત સમસ્યા નડે છે.
આ સમસ્યાને કારણે રાજ્યભરના કુલ ખેડૂતોમાંથી અંદાજે 12 ટકા જેટલા ખેડૂતો જ નોંધણી કરાવી શકવામાં સફળ થયા છે. સાબરકાંઠાનું ઉદાહરણ લઇએ તો 2.30 લાખ ખેડૂતોમાંથી માત્ર 27,000 ખેડૂતોની નોંધણી થઇ શકી છે. હવે યોજનાઓનો લાભ લેવા માટે નોંધણીની સમય મર્યાદા પૂરી થઇ ગઇ છે. જેના કારણે ખેડૂતોમાં લાભથી વંચિત રહી જવાની ચિંતા પ્રસરી છે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન





Click it and Unblock the Notifications
