For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્લી બાદ ગુજરાતે પણ ઘટાડ્યા કોરોનાના RT-PCR ટેસ્ટના ભાવ, જાણો કિંમત

દિલ્લી બાદ હવે ગુજરાતની ભાજપ સરકારે આરટી-પીસીઆર ટેસ્ટ રેટ ઘટાડ્યા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દિલ્લી સરકારે સોમવારે કોરોના RT-PCR ટેસ્ટના રેટ 800 નિર્ધારિત કરવાનો નિર્ણય કર્યો હતો. હવે દિલ્લીની કેજરીવાલ સરકાર બાદ ગુજરાતની ભાજપ સરકારે આરટી-પીસીઆર ટેસ્ટ રેટ ઘટાડીને 800 રૂપિયા કરી દીધો છે. મંગળવારે ગુજરાતના ઉપ મુખ્યમંત્રી નિતિન પટેલે આ માહિતી આપીને જણાવ્યુ કે કોરોના RT-PTR ટેસ્ટની કિંમત ખાનગી પ્રયોગશાળાઓમાં 800 રૂપિયા નિર્ધારિત કરવામાં આવી છે. વળી, જો તે ઘરે આવીને સેમ્પલ કલેક્ટ કરે તો તેના માટે ટેસ્ટની કિંમત 1100 રૂપિયા રાખવામાં આવી છે. જેનો અમલ આજથી જ થશે.

vaccine

ઉપ મુખ્યમંત્રી નિતિન પટેલે વધુમાં જણાવ્યુ કે 6 દિવસમાં કોરોના દર્દીઓ માટે પૂરતી વ્યવસ્થા હોસ્પિટલોમાં કરવામાં આવી છે. અમદાવાદને 400 નવા બેડની સુવિધા આપવામાં આવી છે. કેન્દ્ર સરકાર તરફથી 82 વેન્ટીલેટરની વ્યવસ્થા કરી આપવામાં આવી છે. વળી, આરોગ્ય વિભાગ દ્વારા પણ અનેક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે તેમજ જરૂરિયાત પડવા પર 350 કરોડના ખર્ચે બનેલી નવી કિડની હોસ્પિટલને કોરોના દર્દીઓ માટે ઉપયોગમાં લેવામાં આવશે. તમને જણાવી દઈએ કે પીસીઆર ટેસ્ટથી જાણવા મળે છે કે દર્દી કે તેના સંપર્કમાં આવેલ લોકો સંક્રમિત છે કે નહિ. તેમને કયા પ્રકારના ક્વૉરંટાઈનમાં રાખવામાં આવે.

સીરમ ઈન્સ્ટીટ્યુટે કહ્યુ - કોવિશીલ્ડ વેક્સીન એકદમ સુરક્ષિતસીરમ ઈન્સ્ટીટ્યુટે કહ્યુ - કોવિશીલ્ડ વેક્સીન એકદમ સુરક્ષિત

English summary
Gujarat government reduced the rate of Corona's RT-PCR test, Know the new rate.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X