For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માયા પર નરમ બની મોદી સરકાર, ફાંસીની અરજી પર લગાવી રોક

|
Google Oneindia Gujarati News

maya kodnani
અમદાવાદ, 15 સપ્ટેમ્બર : ગુજરાતની નરેન્દ્ર મોદી સરકાર પર રમખાણોના દોષીઓને બચાવવાના આરોપ લાગી રહ્યા છે. મોદી સરકારે નરોડા પાટિયા રમખાણોમાં દોષી અને મોદીની નજીકના પૂર્વ મંત્રી માયા કોડનાનીને ફાંસીની સજાની મંજૂરી પર રોક લગાવી દીધી છે.

જોકે પહેલા રાજ્ય સરકારે દોષીઓને ફાંસીની સજા આપવાની અરજીને મંજૂરી આપી દીધી હતી. કહેવાય છે કે પીએમ પદ માટે મોદીની દાવેદારીના એલાન બાદ જો ફાંસીને મંજૂરી આપવામાં આવતી તો આનાથી પાર્ટીની અંદર ખોટો સંદેશ જતો. એજ કારણ છે કે રાજ્ય સરકાર પોતાના નિર્ણયથી ફરી ગઇ છે.

ખાસ કોર્ટે માયા કોડનાનીને 28 વર્ષની સજા ફટકારી હતી, જ્યારે બીએચપીના નેતા બાબુ બજરંગીને જનમટીપની સજા મળી હતી. કોર્ટના નિર્ણય બાદ એસઆઇટીએ દોષીઓએ ફાંસીની સજા અપાવવા માટે રાજ્ય સરકાર પાસે અરજી આપી હતી. એકવાર રાજ્ય સરકારે એસઆઇટીની અરજી મંજૂર કરી લીધી હતી. પરંતુ બાદમાં મોદી સરકારે ફાંસીની અરજી પર અસ્થાઇ રીતે પ્રતિબંધ લગાવી દીધો અને જણાવ્યું કે એસઆઇટીની અરજીને મંજૂરી મળી શકે નહીં.

ગુજરાતના કાનૂન મંત્રાલય તરફથી સરકારના મુખ્ય વકિલને મોકલવામાં આવેલા પત્રમાં લખ્યું છે કે નરોડા પાટિયા રમખાણમાં માયા કોડનાનીને ફાંસીની સજા સાથે જોડાયેલ એસઆઇટીની અરજીને મંજૂરી આપી શકાય નહી.

મોદી સરકારએ આ નિર્ણય એડવોકેટ જનરલની સલાહ પર લીધો છે. સરકારી વકિલ પ્રશાંત દેસાઇએ આ અંગે જણાવ્યું કે સરકારે જે નિર્ણય આપ્યો છે તે એડવોકેટ જનરલ સાથે વિચાર વિમર્શ કર્યા બાદ આપ્યો છે. કોર્ટે માયા કોડનાની પહેલા જનમટીપની સજા ફટકારી હતી, પરંતુ પબ્લિક પ્રોસિક્યૂટરે આ સજાને વધારી ફાંસી કરવામાં આવે, પરંતુ એડવોકેટ જનરલે વિચાર કરીને તેને રદિયો આપી દીધો છે.

English summary
Naroda Patiya case: Gujarat govt asks SIT not to seek death penalty for Kodnani.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X