લૉકડાઉનઃ સુરતમાં ફસાયેલા બીજા રાજ્યોના લોકો પોતાના ઘરે જઈ શકશે
લૉકડાઉનઃ સુરતમાં ફસાયેલા બીજા રાજ્યોના લોકો પોતાના ઘરે જઈ શકશે
લૉકડાઉન વચ્ચે ગુજરાતના સુરતમાં ફસાયેલા લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે. જણાવી દઈએ કે સુરતમાં લાખોની સંખ્યામાં બીજા રાજ્યોના લોકો રહે છે. એવામાં નવસારીથી સાંસદ સીઆર પાટિલની ઑફિસથી એક મેસેજ વાયરલ કરવામાં આવ્યો છે કે જે લોકો પોતપોતાના ગામડે જવા માંગે છે તે લોકો વાહનની વ્યવસ્થા કરી પોતપોતાના ગામડે જઈ શકે છે.

આ મેસેજ વાયરલ થયા બાદ સાંસદની ઑિસમાં ફોર્મ લેવા માટે લોકોની ભીડ જમા થવા લાગી હતી. આ વિશે સાંસદ સીઆર પાટીલે કહ્યું કે ગૃહમંત્રી અમિત શાહની સૂચના પર આ ફેસલો લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે ગૃહમંત્રીની મંજૂરી બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીની જાણકારીમાં આ ફેસલો લેવામાં આવ્યો છે.
જણાવી દઈએ કે લૉકડાઉનમાં ફસાયેલા સુરતના મજૂર પહેલે જ ગામડે જવા માટે હંગામો કરી ચૂક્યા છે. અગાઉ બે વાર તેઓ રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા અને વારંવાર ગામડે મોકલવા માટે સરકાર સમક્ષ વિનંતી પણ કરી ચૂક્યા છે.
સુરતમાં ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, ઝારખંડ, મહારાષ્ટ્ર અને ઓરિસ્સા રાજ્યના લાખો લોકો રહે છે. લૉકડાઉનને પગલે તેમની સામે રોજી-રોટીનો પ્રશ્ન ઉભો થઈ ગયો છે, એવામાં સાંસદ સીઆર પાટીલની પહેલથી આ સરકારી ફેસલો મજૂરો માટે રાહતભર્યો સાબિત થશે.
આ કારણે જ લોકો પણ આ ફેસલાના વખાણ કરી રહ્યા છે. મજૂરોની ઉમ્મીદ જાગી છે કે તેઓ હવે પોતપોતાના ગામડે જઈ શકશે. જો કે કોરોના અને લૉકડાઉનને લઈ સ્થિતિ ક્યાર સુધીમાં સામાન્ય થઈ જશે તે અંગે હજી કંઈ સ્પષ્ટ થયું નથી. જ્યારે લૉકડાઉનમાં ફસાયેલા માત્ર સુરતના લોકોને જ ઘરે જવાની મંજૂરી આપવામાં આવી છે. જણાવી દઈએ કે દેવભૂમિ દ્વારકામાં પણ અન્ય રાજ્યોમાંથી આવેલા મજૂરોની યાદી તૈયાર કરવામાં આવી છે અને માનવામાં આવી રહ્યું છે કે સરકાર આવા મજૂરોને પણ પોતપોતાના વતન પરત મોકલી આપશે.
જણાવી દઈએ કે સરકારે શનિવારે એસટી બસના ડ્રાયવરોને સ્ટેન્ડ બાય રહેવા કહી દેવામાં આવ્યું હતું, ત્યારે સેંકડો એસટી બસને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે, ત્યારે એસટીના માધ્યમથી આ લોકોને ઘરે પહોંચાડવામાં આવે તેવું પણ ચર્ચાઈ રહ્યું છે.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન







Click it and Unblock the Notifications
