લૉકડાઉનઃ સુરતમાં ફસાયેલા બીજા રાજ્યોના લોકો પોતાના ઘરે જઈ શકશે
લૉકડાઉનઃ સુરતમાં ફસાયેલા બીજા રાજ્યોના લોકો પોતાના ઘરે જઈ શકશે
લૉકડાઉન વચ્ચે ગુજરાતના સુરતમાં ફસાયેલા લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે. જણાવી દઈએ કે સુરતમાં લાખોની સંખ્યામાં બીજા રાજ્યોના લોકો રહે છે. એવામાં નવસારીથી સાંસદ સીઆર પાટિલની ઑફિસથી એક મેસેજ વાયરલ કરવામાં આવ્યો છે કે જે લોકો પોતપોતાના ગામડે જવા માંગે છે તે લોકો વાહનની વ્યવસ્થા કરી પોતપોતાના ગામડે જઈ શકે છે.

આ મેસેજ વાયરલ થયા બાદ સાંસદની ઑિસમાં ફોર્મ લેવા માટે લોકોની ભીડ જમા થવા લાગી હતી. આ વિશે સાંસદ સીઆર પાટીલે કહ્યું કે ગૃહમંત્રી અમિત શાહની સૂચના પર આ ફેસલો લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે ગૃહમંત્રીની મંજૂરી બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીની જાણકારીમાં આ ફેસલો લેવામાં આવ્યો છે.
જણાવી દઈએ કે લૉકડાઉનમાં ફસાયેલા સુરતના મજૂર પહેલે જ ગામડે જવા માટે હંગામો કરી ચૂક્યા છે. અગાઉ બે વાર તેઓ રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા અને વારંવાર ગામડે મોકલવા માટે સરકાર સમક્ષ વિનંતી પણ કરી ચૂક્યા છે.
સુરતમાં ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, ઝારખંડ, મહારાષ્ટ્ર અને ઓરિસ્સા રાજ્યના લાખો લોકો રહે છે. લૉકડાઉનને પગલે તેમની સામે રોજી-રોટીનો પ્રશ્ન ઉભો થઈ ગયો છે, એવામાં સાંસદ સીઆર પાટીલની પહેલથી આ સરકારી ફેસલો મજૂરો માટે રાહતભર્યો સાબિત થશે.
આ કારણે જ લોકો પણ આ ફેસલાના વખાણ કરી રહ્યા છે. મજૂરોની ઉમ્મીદ જાગી છે કે તેઓ હવે પોતપોતાના ગામડે જઈ શકશે. જો કે કોરોના અને લૉકડાઉનને લઈ સ્થિતિ ક્યાર સુધીમાં સામાન્ય થઈ જશે તે અંગે હજી કંઈ સ્પષ્ટ થયું નથી. જ્યારે લૉકડાઉનમાં ફસાયેલા માત્ર સુરતના લોકોને જ ઘરે જવાની મંજૂરી આપવામાં આવી છે. જણાવી દઈએ કે દેવભૂમિ દ્વારકામાં પણ અન્ય રાજ્યોમાંથી આવેલા મજૂરોની યાદી તૈયાર કરવામાં આવી છે અને માનવામાં આવી રહ્યું છે કે સરકાર આવા મજૂરોને પણ પોતપોતાના વતન પરત મોકલી આપશે.
જણાવી દઈએ કે સરકારે શનિવારે એસટી બસના ડ્રાયવરોને સ્ટેન્ડ બાય રહેવા કહી દેવામાં આવ્યું હતું, ત્યારે સેંકડો એસટી બસને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે, ત્યારે એસટીના માધ્યમથી આ લોકોને ઘરે પહોંચાડવામાં આવે તેવું પણ ચર્ચાઈ રહ્યું છે.
-
પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીને ખડગે પર શર્માની ટિપ્પણીના સમર્થન અંગે સ્પષ્ટતા માગી -
ડિનર ડિપ્લોમસી: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ટ્રમ્પનું સર્જિયો ગૌર સાથે ડિનર, શું આ માત્ર સંયોગ છે? -
Video: ક્યાં છે કોંગ્રેસ નેતા પવન ખેરા? વીડિયોએ ખોલી દીધું રહસ્ય, હિમંતા-પાસપોર્ટ કેસમાં પાછળ પડી છે પોલીસ -
US-Iran Ceasefire: ક્રૂડ ઓઈલના ભાવમાં 14% નો ઘટાડો, ભારતીય બજાર અને અર્થતંત્ર પર કેવી થશે અસર -
ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ: ટ્રમ્પે પાકિસ્તાનની અપીલ સ્વીકારી, 14 દિવસ સુધી અમેરિકી બોમ્બમારો બંધ રહેશે, ઈરાનનું -
US-Iran Ceasefire બાદ ક્યાં અને ક્યારે યોજાશે બેઠક? ક્રેડિટ લેવા માટે પાકિસ્તાની PM શહબાઝ શરીફે કરી મોટી ઓફર -
સુપ્રસિદ્ધ રોમાનિયન ફૂટબોલ ખેલાડી અને કોચ મિર્સિયા લુસેસ્કુનું ૮૦ વર્ષની વયે અવસાન -
બંગાળની 2026 વિધાનસભા ચૂંટણી: નવા ચૂંટણી નકશાએ TMCના ગઢ અને ભાજપના માટુઆ બેઝને વિક્ષેપિત કર્યો -
આગામી વિધાનસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કરવા માટે વિદેશી પ્રતિનિધિમંડળ કેરળ પહોંચ્યું -
પીએમ-કુસુમ યોજનાનો પ્રથમ તબક્કો કૃષિમાં સૌર ઉર્જા લક્ષ્યાંકો પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયો -
ઓમ બિરલા 9 એપ્રિલે ગોવામાં કોમનવેલ્થ સંસદીય પરિષદનું ઉદ્ઘાટન કરશે, જે શાસન અને વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે. -
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો












Click it and Unblock the Notifications
