ગુજરાત હાઈકોર્ટ ધારાસભ્યને પૂછ્યું, શું તેમને એક્સટર્નમેન્ટ ઓર્ડરનું સમર્થન કરે છે?
ગુજરાત હાઈકોર્ટ દ્વારા સોમવારના રોજ ગોધરાના ધારાસભ્ય સી. કે. રાઓલજીના પુત્રને બોલાવવા અને ચૂંટાયેલા નેતાની કામગીરી અંગે પૂછપરછ કરવા બદલ આઠ જિલ્લાના નાગરિકને બહાર કાઢવા બદલ સત્તાધારીઓની ભારે ઝાટકણી કાઢી હતી.
અમદાવાદ : ગુજરાત હાઈકોર્ટ દ્વારા સોમવારના રોજ ગોધરાના ધારાસભ્ય સી. કે. રાઓલજીના પુત્રને બોલાવવા અને ચૂંટાયેલા નેતાની કામગીરી અંગે પૂછપરછ કરવા બદલ આઠ જિલ્લાના નાગરિકને બહાર કાઢવા બદલ સત્તાધારીઓની ભારે ઝાટકણી કાઢી હતી. પ્રવિણ ચારણ પર લાદવામાં આવેલી સજા પર રોક લગાવી હતી. આ સાથે હાઇકોર્ટના જસ્ટિસ પરેશ ઉપાધ્યાયે સબ ડિવિઝનસ મેજિસ્ટ્રેટ તેમજ ધારાસભ્ય પાસેથી આ અંગે ખુલાસો માંગ્યો હતો.
ગુજરાત હાઇકોર્ટે મોટા પ્રમાણમાં લોકો પર કરવામાં આવેલ "એટ્રોસીટી" પર સવાલ ઉઠાવ્યા હતા કે, આવી કાર્યવાહી સ્વીકાર્ય નથી. આપણે રાજાશાહીમાં રહેતા નથી. આપણે લોકશાહી અને પ્રજાસત્તાકમાં રહીએ છીએ. આપણે એવા પ્રજાસત્તાકમાં છીએ કે જ્યા નાગરિકો તેમના ચૂંટાયેલા પ્રતિનિધિને પ્રશ્ન કરી શકતો નથી? આમ કરવા પર એક્સટર્નમેન્ટ ઓર્ડર પસાર થાય છે?
હાઇકોર્ટના જસ્ટિસ પરેશ ઉપાધ્યાય દ્વારા એક્સટર્નમેન્ટ ઓર્ડર પર રોક લગાવતા સમયે એ પણ નોંધ્યું હતું કે, આ આદેશમાં કાયદાનો કોઈ જ આધાર નથી. આ સાથે હાઇકોર્ટ અન્ય એક "સ્પષ્ટ દ્રષ્ટિકોણ" પણ નોંધ્યો હતો જેમાં ત્રણ FIRમાંથી પ્રવિણ ચારણને એક્સટર્નેડ કરવામાં આવ્યા હતા, એક FIR વર્ષ 2017ની હતી અને બીજી 2019 અને છેલ્લી FIR ચાલુ વર્ષે 14 જૂનના રોજ નોંધાઇ છે. ગોધરાના ધારાસભ્ય સી. કે. રાઉલજીના પુત્ર માલવદિપસિંહની ફરિયાદના આધારે આ FIR નોંધવામાં આવી હતી. અરજદારની "ધારાસભ્ય લોકોનું કામ કેમ નથી કરી રહ્યા?" એવી ફરિયાદનો બદલો લેવા માટે માલવદિપસિંહે અરજદાર સામે ફરિયાદ નોંધાવી હોવાનું જણાયું હતું.
પંચમહાલ પોલીસે ચાલુ વર્ષે જૂન મહિનામાં રાઓલજીના પુત્ર માલવદીપસિંહને ફોન પર ધારાસભ્ય પોતાનું કામ નથી કરતો તેમ કહેવા બદલ ચારણ સામે ગુનો નોંધ્યો હતો. આ સાથે તેના પર જાનથી મારી નાખવાની ધમકી આપવાનો પણ આરોપ હતો. રાજ્ય સરકારે કથિત ધમકીને ટાંકીને નિવારક પગલાનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે કોર્ટે કહ્યું કે, જો એમ હોય તો સરકાર તેને જેલની પાછળ ધકેલી શકે છે. જો સ્થાનિક ધારાસભ્યો સામે નાગરિકની ફરિયાદનો આ રીતે જ નિકાલ કરવો હોય, તો નાગરિકને જ રક્ષણ આપવાની જરૂર છે, આ સાથે સંબંધિત ધારાસભ્ય પાસેથી પણ જવાબ માંગવો જરૂરી છે, શું તેઓ આવા આદેશનું સમર્થન કરે છે?
ગુજરાત હાઇકોર્ટ દ્વારા સોમવારના રોજ ગોધરાના ધારાસભ્ય સી. કે. રાઉલજીને ચાલુ વર્ષે જૂન મહિનામાં ગોધરાના સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા પસાર કરાયેલા પંચમહાલ જિલ્લાના રહેવાસી સામેના એક્સટર્નમેન્ટ ઓર્ડરને પડકારતી અરજીમાં પક્ષકાર તરીકે તેને ઉમેરવાનો નિર્દેશ આપ્યા બાદ નોટિસ ફટકારી હતી. અરજદાર પ્રવિણભાઈ ઉર્ફે પી. કે. નારણભાઈ ચૌહાણના 24 જૂનના એક્સટર્નમેન્ટ ઓર્ડર મુજબ, પંચમહાલ, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા (શહેર અને ગ્રામ્ય), ખેડા અને આણંદ જિલ્લાઓમાંથી બે વર્ષના સમયગાળા માટે તડીપાર કરવામાં આવ્યા હતા.