ગોધરાકાંડ પર ગુજરાત હાઇકોર્ટ આજે સંભળાવી શકે છે નિર્ણય
2002 ગોધરાકાંડ પર આજે ગુજરાત હાઇકોર્ટ તેનો નિર્ણય સંભળાવશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જાહેર થનારા આ નિર્ણયથી અનેક રાજકીય સમીકરણો પર અસર પડશે. વધુ વાંચો અહીં.
2002માં ગુજરાતમાં ગોધરા ટ્રેનની એક બોગીને અને તેની અંદર બેઠેલા 59 લોકોને જીવતા સળગાવ્યા હતા. આ મામલે ગુજરાત હાઇકોર્ટ આજે પોતાનો નિર્ણય સંભળાવશે. આ મામલે એસઆઇટીની એક ખાસ અદાલતે 2011માં 31 લોકોને દોષી જાહેર કર્યા હતા અને 63 લોકોને નિર્દોષ જાહેર કર્યા હતા. એસઆઇટીના આ નિર્ણયને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જેની પર આજે સુનવણી પછી નિર્ણય સંભળાવાય તેવી સંભાવના રહેલી છે. ઉલ્લેખનીય છે કે 27 ફેબ્રુઆરી 2002માં સાબરમતી એક્સપ્રેસના એક ડબ્બા એસ-6માં અચાનક જ આગ લગાવવામાં આવી હતી. આ આગમાં મોટા ભાગના લોકો બળી મર્યા હતા, તે અયોધ્યાથી પરત ફરી રહેલા હિંદૂ કારસેવકો હતા. જે બાદ ગુજરાતભરમાં કોમી તોફાનો શરૂ થયા હતા.

અને બન્ને પક્ષે અનેક નિર્દોષ લોકો આ તોફાનોનો ભોગ બન્યા હતા. આ મામલે સુપ્રીમ કોર્ટે 2008માં આર કે રાધવનના નેતૃત્વમાં એસઆઇટીની ગઠન કર્યું હતું. એસઆઇટીની કાર્ટે 11 માર્ચ 2011ના રોજ આ મામલે નિર્ણય સંભળાવ્યો હતો. અને 11 લોકોને ફાંસી સમેત 20 લોકોને ઉંમરકેદની સજા સંભળાવી હતી. સાથે જ 63 લોકોને નિર્દોષ જાહેર કર્યા હતા. આ નિર્ણયને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. અને જે 63 લોકોને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. તેમના વિરુદ્ધ પણ હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે હાલ ગુજરાત વિધાનસભાની ચૂંટણી થવાની છે. તે સમયે હાઇકોર્ટનો આ નિર્ણય જાહેર થતા તેની અસર આવનારી વિધાનસભાની ચૂંટણીમાં થવાની સંપૂર્ણ શક્યતા છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
