ગોધરાકાંડ પર ગુજરાત હાઇકોર્ટ આજે સંભળાવી શકે છે નિર્ણય
2002 ગોધરાકાંડ પર આજે ગુજરાત હાઇકોર્ટ તેનો નિર્ણય સંભળાવશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જાહેર થનારા આ નિર્ણયથી અનેક રાજકીય સમીકરણો પર અસર પડશે. વધુ વાંચો અહીં.
2002માં ગુજરાતમાં ગોધરા ટ્રેનની એક બોગીને અને તેની અંદર બેઠેલા 59 લોકોને જીવતા સળગાવ્યા હતા. આ મામલે ગુજરાત હાઇકોર્ટ આજે પોતાનો નિર્ણય સંભળાવશે. આ મામલે એસઆઇટીની એક ખાસ અદાલતે 2011માં 31 લોકોને દોષી જાહેર કર્યા હતા અને 63 લોકોને નિર્દોષ જાહેર કર્યા હતા. એસઆઇટીના આ નિર્ણયને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જેની પર આજે સુનવણી પછી નિર્ણય સંભળાવાય તેવી સંભાવના રહેલી છે. ઉલ્લેખનીય છે કે 27 ફેબ્રુઆરી 2002માં સાબરમતી એક્સપ્રેસના એક ડબ્બા એસ-6માં અચાનક જ આગ લગાવવામાં આવી હતી. આ આગમાં મોટા ભાગના લોકો બળી મર્યા હતા, તે અયોધ્યાથી પરત ફરી રહેલા હિંદૂ કારસેવકો હતા. જે બાદ ગુજરાતભરમાં કોમી તોફાનો શરૂ થયા હતા.

અને બન્ને પક્ષે અનેક નિર્દોષ લોકો આ તોફાનોનો ભોગ બન્યા હતા. આ મામલે સુપ્રીમ કોર્ટે 2008માં આર કે રાધવનના નેતૃત્વમાં એસઆઇટીની ગઠન કર્યું હતું. એસઆઇટીની કાર્ટે 11 માર્ચ 2011ના રોજ આ મામલે નિર્ણય સંભળાવ્યો હતો. અને 11 લોકોને ફાંસી સમેત 20 લોકોને ઉંમરકેદની સજા સંભળાવી હતી. સાથે જ 63 લોકોને નિર્દોષ જાહેર કર્યા હતા. આ નિર્ણયને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. અને જે 63 લોકોને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. તેમના વિરુદ્ધ પણ હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે હાલ ગુજરાત વિધાનસભાની ચૂંટણી થવાની છે. તે સમયે હાઇકોર્ટનો આ નિર્ણય જાહેર થતા તેની અસર આવનારી વિધાનસભાની ચૂંટણીમાં થવાની સંપૂર્ણ શક્યતા છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
