ગુજરાત લોકાયુક્ત : સરકારે 3 નવા નામો રાજ્યપાલને મોકલ્યા
ગાંધીનગર, 18 સપ્ટેમ્બર : ગુજરાત સરકારે રાજયમાં લોકાયુકતની નિમણુંક કરવા માટે ત્રણ નવા નામોની દરખાસ્ત કરી છે. ત્રણ નિવૃત ન્યાયધીશોના નામની દરખાસ્તમાં નિવૃત જ્જ ભગવતીપ્રસાદ, એ.એલ.દવે અને આર.પી.ધોળકીયાનો સમાવેશ થાય છે. ગુજરાત સરકારે આ ત્રણેય નામો રાજયપાલ અને વિધાનસભામાં વિપક્ષી નેતા શંકરસિંહ વાઘેલાને મોકલી આપ્યા છે. આ ત્રણેય નામોને ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસે પણ મંજુરી આપી દીધી છે.
નોંધનીય છે કે રાજયપાલ ડો કમલા બેનિવાલ દ્વારા નિયુકત થયેલા લોકાયુકત જસ્ટીસ (નિવૃત) આર એ મહેતાએ ચાર્જ સંભાળવાનો તાજેતરમાં ઇન્કાર કર્યો હતો. રાજયપાલની લોકાયુકતની કરેલી નિમણુંક સામે સરકારે બે વર્ષ કાનૂની યુધ્ધ ખેલ્યુ હતુ પરંતુ તેમાં તેનો પરાજય થયો હતો.
જસ્ટીસ ભગવતી પ્રસાદ ઝારખંડ હાઇકોર્ટના પૂર્વ ચીફ જસ્ટીસ અને ગુજરાત હાઇકોર્ટના પૂર્વ જ્જ છે. જસ્ટીસ દવે ગુજરાત હાઇકોર્ટના પૂર્વ ઇન્ચાર્જ ચીફ જસ્ટીસ હતા અને જસ્ટીસ ધોળકીયા ગુજરાત હાઇકોર્ટના પૂર્વ જ્જ છે. હાલ તેઓ કન્ઝયુમર ડીસ્પ્યુટ રેડરેસ કમીશનના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે.

ગુજરાત સરકારના વર્તુળોએ પોતાનું નામ નહી જાહેર કરવાની શરતે જણાવ્યું હતું કે આ ત્રણેય નામોના મામલે રાજય સરકારને રાજયપાલ કે શંકરસિંહ વાઘેલા તરફથી કોઇ નોંધ કે સુચનો પ્રાપ્ત થયા નથી. આ ત્રણેય નામોને ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસે મંજુરી આપી દીધી છે. જયારે રાજયપાલ અને વિપક્ષી નેતા તરફથી સત્તાવાર મંજુરી મળી જાય કે તરત જ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી એક બેઠક બોલાવી એક નામ પસંદ કરશે અને કેબીનેટ દ્વારા મંજુરી મળ્યા બાદ એક નામ રાજયપાલને મંજુરી માટે મોકલશે.
આ સમગ્ર કવાયત 30મી સપ્ટેમ્બરથી શરૂ થતા વિધાનસભાના ચોમાસુ સત્ર પહેલા પુરી કરી લેવામાં આવે તેવી શકયતા છે. ગુજરાતમાં છેલ્લા 10 વર્ષથી લોકાયુકતની નિમણૂંક થઇ નથી. બે વર્ષ પહેલા રાજયપાલે લોકાયુકત તરીકે જસ્ટીસ મહેતાની નિમણુંક કરી હતી પરંતુ ગુજરાત સરકારે આ નિમણુંકને પહેલા હાઇકોર્ટમાં અને બાદમાં સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી.
ગુજરાત સરકારે લોકાયુકત નિમણુંકની સત્તા રાજયપાલને બદલે પોતાની પાસે રહે તે માટે લોકાયુકત એકટ 1986ના બદલે નવું બિલ રજુ કર્યું હતું. જો કે રાજયપાલે તે રિજેકટ કર્યું હતું. રાજય સરકાર આવી રહેલા સત્રમાં નવુ લોકાયુકત એકટ બિલ ફરી રજુ કરે તેવી શકયતા છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી




Click it and Unblock the Notifications
