ગુજરાતની 17 જેલોમાં આખી રાત દરોડા, ઘણા ફોન જપ્ત, ગૃહમંત્રી સંઘવીએ કર્યુ લાઈવ મૉનિટરીંગ

Gujarat Jail Raid: ગુજરાતની સાબરમતી સહિત 17 જેલોમાં શુક્રવારની આખી રાત દરોડા પડ્યા. જેલોમાંથી ઘણા મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કંટ્રોલ રુમમાં દરોડાનુ લાઈવ નિરીક્ષણ કર્યુ. સાબરમતી જેલમાં જ અતીક અહેમદ પણ બંધ છે. દરોડા પાછળનો મુખ્ય હેતુ ગેરકાયદે કામોને પ્રકાશમાં લાવવાનો છે.
આ ઉપરાંત નિયમ મુજબ કેદીઓને યોગ્ય વ્યવસ્થાઓ મળી રહી છે કે તે જાણવાનો હેતુ પણ હતો. આ માહિતી ગુજરાતના ડીજીપી વિકાસ સહાયે આપી છે. સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા મુજબ સાબરમતી સહિત ગુજરાતની 17 જેલોમાં રાતોરાત 1700 પોલીસકર્મીઓએ દરોડા પાડ્યા હતા.
જેલમાંથી ઘણા મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી તેમજ ગૃહ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ અને પોલીસ ભવનમાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓ દ્વારા દરોડાની દેખરેખ રાખવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, દરોડો શનિવાર (25 માર્ચ) સવાર સુધી ચાલુ રહ્યો હતો.
ગુજરાતના ડીજીપી વિકાસ સહાયે જણાવ્યુ કે, 'માહિતી મળી છે કે ક્યાંકથી મોબાઈલ ફોન મળી આવ્યા છે. પોલીસની સાથે સાથે સ્નિફર ડોગ પણ આ તપાસમાં સામેલ છે અને આ કામનુ સંપૂર્ણ રેકોર્ડિંગ પણ કરવામાં આવી રહ્યુ છે. અમે તેનુ લાઈવ ટેલીકાસ્ટ ગાંધીનગરના સ્ટેટ કંટ્રોલ રૂમમાં પણ જોઈ શક્યા હતા.'
દરોડા દરમિયાન ગુજરાત પોલીસના જવાનોએ જેલમાં કેદીઓને શું સુવિધાઓ આપવામાં આવી રહી છે તેની પણ ચકાસણી કરી હતી. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સીએમ ડેશબોર્ડ પરથી દરોડાનુ નિરીક્ષણ કર્યુ હતુ. આ કામગીરી અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, જામનગર, મહેસાણા, ભાવનગર, બનાસકાઠા સહિતની તમામ જેલોમાં કરવામાં આવી હતી. સાબરમતી સૌથી મોટી જેલ હોવાથી 300 પોલીસકર્મીઓએ ત્યાં દરોડા પાડ્યા હતા.












Click it and Unblock the Notifications
