આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો કયા જિલ્લાઓમાં થશે મેઘવર્ષા
હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે ભારે વરસાદની સંભાવના નહિવત હોવાનુ પણ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યુ છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ તેમજ અમદાવાદમાં સામાન્ય વરસાદની વકી છે.

આ સ્થળોએ સામાન્ય વરસાદની આગાહી
હવામાન વિભાગે જણાવ્યુ છે કે આજે રાજ્યના 6 જિલ્લાઓમાં વાતાવરણ સૂકુ રહેવાની સંભાવના છે જેમાં સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, આણંદ, ભરુચ અને નર્મદાનો સમાવેશ થાય છે. જો કે, અમુક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તેમજ વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા ઝાપટાની પણ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ, ગાંધીનગર અને જૂનાગઢમાં હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

રાજ્યમાં અત્યાર સુધી 70 ટકા વરસાદ
તમને જણાવી દઈએ કે રાજ્યમાં અત્યાર સુધી 70 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં સૌથી વધુ સિઝનનો 117 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાતમાં 82 ટકા વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં 61.97 ટકા અને મધ્ય ગુજરાતમાં 61.65 ટકા તેમજ ઉત્તર ગુજરાતમાં 56.86 ટકા વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં રાજ્યના 251 તાલુકાઓમાં વરસાદ થયો છે. જેમાંથી 31 તાલુકાઓમાં 40 ઈંચથી વધુ, 89 તાલુકાઓમાં 20થી 40 ઈંચ, 100 તાલુકાઓમાં 10થી 20 ઈંચ અને 31 તાલુકાઓમાં 5થી 10 ઈંચ વરસાદ થયો છે.

આજનુ હવામાન
આજના હવામાનની વાત કરીએ તો અમદાવાદમાં લઘુત્તમ 27 અને મહત્તમ 35 ડિગ્રી સેલ્સિયસ રહેવા સાથે હળવા વરસાદની આગાહી છે તેમજ દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહેશે. અમરેલીમાં તાપમાન લઘુત્તમ 27 અને મહત્તમ 33 રહેવા સાથે 70 ભેજવાળુ વાતાવરણ રહેશે. વળી, આણંદમાં વાદળછાયુ વાતાવરણ તેમજ તાપમાન લઘુત્તમ 27 મહત્તમ 33 રહેશે. દેવભૂમિ દ્વારકામાં લઘુત્તમ તાપમાન 26 અને મહત્તમ 31 ડિગ્રી સેલ્સિયસ રહેશે.
-
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી








Click it and Unblock the Notifications
