Gujarat Riots: મોદીની ક્લીન ચીટ પર સુનાવણી ટળી, સુપ્રીમ કોર્ટે કહ્યું- આવુ ક્યાં સુધી ચાલશે
ગુજરાતમાં 2002ના રમખાણો દરમિયાન રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને એસઆઈટીએ ક્લીન ચીટ આપી દીધી હતી જેને પડકારતી અરજી મામલે સુપ્રીમ કોર્ટે સુનાવણી 14 એપ્રિલ સુધી મુલતવી રાખી છે.
ગુજરાતમાં 2002ના રમખાણો દરમિયાન રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને એસઆઈટીએ ક્લીન ચીટ આપી દીધી હતી જેને પડકારતી અરજી મામલે સુપ્રીમ કોર્ટે સુનાવણી 14 એપ્રિલ સુધી મુલતવી રાખી છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે કેટલીયવાર આ મામલાની સુનાવણી સ્થગિત કરવામાં આવી છે, આવું ક્યાં સુધી ચાલશે. ક્યારેક તો સુનાવણી કરવી જ પડશે. જાકિયા ઝાફરી દ્વારા ક્લિન ચીટને પડકારતી અરજી દાખળ કરવામાં આવી છે. જેઓ રમખાણોમાં મૃત્યુ પામનાર કોંગ્રેસના પૂર્વ સાંસદ અહસાન ઝાફરીના પત્ની છે. જસ્ટિસ એ એમ ખાનવિલકર અને દિનેશ મહેશ્વરીની પીઠે મામલાની સુનાવણી એપ્રિલ સુધી ટાળી દીધી છે, જ્યારે ઝાકિયાના વકીલે અદાલતને હોળીની રજા બાદ જ આનાપર સુનાવણી કરવાનો આગ્રહ કર્યો. ત્યારે જ કોર્ટે આ ટિપ્પણી કરી.

જાકિયા ઝાફરીએ અરજી કરી હતી
જાકિયાએ 2018માં સુપ્રીમ કોર્ટમાં આ અરજી દાખળ કરી હતી. જેમાં ગુજરાત હાઈ કોર્ટના 5 ઓક્ટોબર 2017ના આદેશને પડકાર ફેંકવામાં આવ્યો હતો. હાઈકોર્ટે વિશેષ તપાસ દળના ફેસલા વિરુદ્ધ તેની અરજીને ફગાવી દીધી હતી. તેમના વકીલે પહેલા જ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે અરજીમાં એક નોટિસ જાહેર કરવાની જરૂરત છે, કેમ કે આ 27 ફેબ્રુઆરી 2002થી મે 2002 સુધી કથિત 'મોટા ષડયંત્ર' સંબંધિત છે.

ગુલબર્ગ સોસાયટીમાં 68 લોકોના મોત
જણાવી દઈએ કે 28 ફેબ્રુઆરી 2002ના રોજ ગુલબર્ગ સોસાયટીમાં 68 લોકોની હત્યા કરી મૂકવામાં આવી હતી મૃતકોમાં અહસાન ઝાફરી પણ સામેલ હતા, સાબરમતી એક્સપ્રેસના એસ-6 કોચને ગોધરામાં ફૂંકી મરાયો હોવાથી 59 લોકોના મૃત્યુ થયાં હતાં જેના કારણે જ ગુજરાતમાં રમખાણો ફાટી નિકળ્યાં હતાં.

8 ફેબ્રુઆરી 2012ના રોજ એસઆઈટીએ ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો
8 ફેબ્રુઆરી 2012ના રોજ એસઆઈટીએ મોદી અને વરિષ્ઠ સરકારી અધિકારીઓ સહિત અન્ય 63 લોકોને ક્લિનચીટ આપતા એક ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો, જેમાં કહેવામાં આવ્યું હતું કે તેમની વિરુદ્ધ કોઈ દોષરોપણના પૂરાવા નહોતા.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
