ગુજરાતમાં 10 મહિના બાદ ખુલી સ્કૂલ, કોરોના પ્રકોપ વચ્ચે ભણવા આવ્યા 10મા-12માંના બાળકો
કોરોના મહામારીના પ્રકોપ વચ્ચે ગુજરાતમાં ધોરણ 10માં અને 12માંના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ ખોલી દેવામાં આવ્યા છે.
રાજકોટઃ કોરોના મહામારીના પ્રકોપ વચ્ચે ગુજરાતમાં ધોરણ 10માં અને 12માંના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ ખોલી દેવામાં આવ્યા છે. આવુ લગભગ 10 મહિના પછી થયુ છે. લૉકડાઉનના સમયથી જ મોટાભાગની સ્કૂલો બંધ હતી. ન્યૂઝ એજન્સીએ રાજકોટની એક સ્કૂલનો ફોટો જારી કર્યો છે જેમાં જોઈ શકાય છે કે વિદ્યાર્થી સોશિયલ ડિસ્ટંસીંગનો ફૉલો કરીને સ્કૂલમાં પ્રવેશ કર્યો. તેમણે મોઢા પર માસ્ક પહેરેલુ છે. સ્કૂલ પરિસરમાં વિદ્યાર્થીઓ માટે સફેદ રંગના ગોળા બનાવ્યા છે જ્યાં તે ઉભા રહેશે.

Recommended Video

295 દિવસ બાદ ખુલી શાળાઓ
સુરત સહિત દક્ષિણ ગુજરાતના પણ હજારો વિદ્યાર્થી ઘરોમાંથી સ્કૂલ માટે નીકળ્યા છે. તેમણે કોરોના ગાઈડલાઈન ફોલો કરવાની સલાહ આપવામાં આવી છે. એક રિપોર્ટ મુજબ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સહિત 1200 સ્કૂલ છે. જેમાં 10માં અને 12માંના 1.58 લાખ બાળકો વાંચે છે. વળી, એ અંદાજો પણ લગાવ્યો છે કે સુરત સહિત દક્ષિણ ગુજરાતના 85% માતાપિતાઓએ સંમતિ પત્ર આપી દીધા છે. જ્યારે 15% માતાપિતાએ સંમતિ આપી નથી કારણકે તેમને ડર છે કે બાળકોને સ્કૂલે મોકલવા યોગ્ય નથી લાગ્યા.
સ્કૉલરશિપમાટે 27 સુધી ફૉર્મ
રાજ્ય સરકાર તરફથી વિદ્યાર્થીઓ માટે વધુ એક જરૂરી સૂચના આપી છે. સરકારે એક અધિસૂચના જારી કરીને જણાવ્યુ છે કે છાત્રવૃત્તિ માટે છાત્રો 27 જાન્યુઆરી સુધી આવેદન કરી શકે છે. છાત્રવૃત્તિ છઠ્ઠા અને નવમાંના છાત્રોને મળશે. છાત્રવૃત્તિ મેળવવા માટે છાત્રોને પરીક્ષા આપવી પડશે. રાજ્ય સરકાર મુજબ છાત્રોને 5માં અને 8માંમાં પણ 50 ટકા ગુણ હોવા જરૂરી છે. સરકારી અને ગ્રાંટ ઈન એડ સ્કૂલોમાં ભણતા અને માધ્યમિક છાત્રો માટે છાત્રવૃત્તિ આપવા માટે આ નિર્ણય આવ્યો છે. છાત્રવૃત્તિ માટે છાત્રોને સ્કૂલની ફી પણ ચૂકવવી પડશે. સરકારે કહ્યુ છે કે છાત્રવૃત્તિ માટ 14 માર્ચે પરીક્ષા લેવામાં આવશે. તેના આધારે જ છાત્રવૃત્તિ વહેંચવામાં આવશે.












Click it and Unblock the Notifications
