બાપુની સ્પષ્ટતા, શા માટે અનફોલો કર્યા રાહુલ ગાંધીને?
શંકરસિંહ વાઘેલાએ સોશિયલ મીડિયા પર રાહુલ સહિતના નેતાઓને અનફોલો કર્યા હતા.
ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભા વિરોધપક્ષ કોંગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલાએ રવિવારે વહેલી સવારથી ટ્વિટર પર કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને અનફોલો કરી દેતા કોંગ્રેસમાં ભૂકંપ સર્જાયું હતું. જેની સ્પષ્ટતા કરવા માટે શંકરસિંહ વાઘેલાએ આજે પત્રકાર પરિષદ યોજી હતી. અનેક પ્રશ્નોની સ્પષ્ટતા કરતા બાપુએ જણાવ્યું હતું કે, હું ભાજપમાં જવાનો નથી, કોંગ્રેસમાં જ છું.
ભરતસિંહની અધ્યક્ષતામાં ચૂંટણી લડીશું.

આ સાથે જ તેમણે ટ્વિટર અંગે એ પણ સ્પષ્ટતા કરી કે, "મેં સોશિયલ મીડિયામાંથી તમામને અનફોલો કર્યા છે. હું કોંગ્રેસમાં જ એક્ટીવ છું અને સીએમની રેસની ખોટી માન્યતા છે. અમે ભરતસિંહની અધ્યક્ષતામાં ચૂંટણી લડીશું. ભાજપ સામે કોંગ્રેસનું સ્ટેન્ડ જ મારૂં સ્ટેન્ડ છે. મારા અને ભરતસિંહ વચ્ચે કોઇ મતભેદ નથી." તેમણે આગળ કહ્યું કે, "કોંગ્રેસ ઉપર દબાણ નાંખવાની મારી આદત નથી. ચૂંટણી વખતે જ પૂછજો કે હું ચૂંટણી લડવાનો છું કે નહીં. મેં સોશિયલ મીડિયામાંથી માત્ર ભાજપ વિરુદ્ધ જ નહીં,
તમામ વિરુદ્ધની નેગેટિવિટી દૂર કરી છે."
મળતી માહિતી મુજબ કોંગ્રેસ હાઈકમાન્ડે વિધાનસભા ચૂંટણી પહેલા મુખ્યમંત્રી તરીકેના ઉમેદવાર જાહેર કરવાની ના પાડી છે. આણંદમાં યોજાયેલ કારોબારીમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે જણાવ્યું હતું કે, "આ મામલે શંકરસિંહ જોડે કોઈ વાત થઇ નથી. મીડિયાએ તેમને જ પૂછવું જોઈએ." આ નિવેદનથી એવું લાગી રહ્યું છે કે, બાપુના મામલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએહાથ ઉંચા કરી લીધા છે.
બીજી બાજુ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ જણાવ્યું કે, અમે કોઈને આમંત્રણ નથી આપ્યું. કોંગ્રેસના મિત્રો આવે તો આવકારવા તૈયાર છીએ. ડૂબતી કોંગ્રેસના નેતા અને કાર્યકરો ભાજપના વિકાસ રથમાં જોડાવા તૈયાર છે.
{promotion-urls}
-
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
