સોમનાથ બન્યું વેજ ઝોન, નોન-વેજ રેસ્ટોરાં થશે બંધ
સોમનાથ બન્યું વેજ ઝોન, નોન-વેજ રેસ્ટોરાં થશે બંધ
સોમનાથઃ જૈન ધર્મના તીર્થ-સ્થળ પાલીતાણા બાદ ગુજરાત સરકારે હવે સોમનાથને પણ માસાહારમાંથી મુક્તિ અપાવવા બાજુ પગલાં ભરવા જઈ રહી છે. આના માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વેજ ઝોન બનાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે સોમનાથ દરિયાઈ તટ પર સ્થિત હિંદુઓનું પવિત્ર સ્થાન છે, એવામાં માત્ર શાકાહાર માટે જો આપવામાં આવી રહ્યું છે.
શ્રદ્ધાળુઓએ માંગણી ઉઠાવી
સોમનાથમાં શુદ્ધ શાકાહાર ભોજન માટે કેટલાય વર્ષોથી સ્થાનિક લોકોની માગણી ચાલી રહી હી. મંદિરના દર્શને આવતા શ્રદ્ધાળુઓનું કહેવું છે કે સોમનાથમાં માસાહાર ન મળવું જોઈએ. માટે ઈંડાના વેચાણનો પણ વિરોધ કરવામાં આવ્યો. સોમનાથની નગર પાલિકા માને છે કે સોમનાથમાં નોન-વેજ પ્રાપ્ત ન થવું જોઈએ.
સરકાર નોનવેજ પર પ્રતિબંધ લગાવશે
સરકાર હવે નક્કી કરી રહી છે કે પાટણ મેન સ્ક્વાયરથી કાજલી માર્કિંગ યાર્ડ સુધી 3 કિમીના ક્ષેત્રમાં નોન-વે ઝોન નક્કી કરવામાં આવશે. જણાવી દઈએ કે ભાજપ શાસિત વેરાવળ નગર નિગમે માંસાહારી ભોજનના વેચાણ પર રોક લગાવી દીધો હતો. હવે સરકાર સમગ્ર વિસ્તારમાં નોનવેજ ફૂડ બેન કરી શકે છે. 2006માં જ્યારે સોમનાથ જૂનાગઢ જિલ્લામાં હતું, ત્યારે જિલ્લા કલેક્ટરે 500 મીટરના ક્ષેત્રમાં નોન-વેજના વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. હવે રાજ્ય સરકાર આ તીર્થ સ્થળને વેજ ઝોનમાં બદલવાની તૈયારી કરી રહ્યું છે.
જો વેજ ઝોન બને છે તો...
સોમનાથ ભાજપ અધ્યક્ષનું કહેવું છે કે સોમનાથને વેજ ઝોન ઘોષિત કરવા માટે સ્થાનિક સ્તરથી એક પ્રપોઝલ તૈયાર કરી ગાંધીનગર મોકલવામાં આવી છે. સરકાર આ માગણી વિશે સકારાત્મક છે. વેજ ઝોન કેટલા વિસ્તારમાં બનશે તેનો નિર્ણય હજુ સુધી લેવાયો નથી કેમ કે સોમનાથમાં 50 દુકાનોમાં માછલીનું વેચાણ થાય છે. જો વેજ ઝોન બને છે તો 500 જેટલા વેપારીઓ પ્રભાવિત થશે.
24મી જાન્યુઆરીએ સિલેક્શન પેનલની બેઠક, નવા સીબીઆઈ ચીફનો ફેસલો થશે