NASAમાં અવાજ આપનાર ગુજરાતી લોકગાયક બાબુભાઇ રાણપુરાનું નિધન
અમદાવાદ, 17 જુલાઇ : ગુજરાતના લોકકલા અને સાહિત્યના ફલક પર અનન્ય પ્રદાન કરનારા સૌરાષ્ટ્રના લોક ગાયક અને કલાકાર બાબુ રાણપુરાનું બુધવારે એક ખાનગી હોસ્પિટલમાં અવસાન થયું છે. તેઓ છેલ્લા કેટલાક દિવસોથી નાદુરસ્ત તબિયતને કારણે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા અને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.
બાબુભાઇ રાણપરાના નિધન અંગે શોક અને દુ:ખની લાગણી વ્યક્ત કરતા ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે જણાવ્યું છે કે 'ગુજરાતના વિશ્વવિખ્યાત લોક ગાયક બાબુભાઇ રાણુપુરાના નિધન અંગે મને દુ:ખ છે. તેમના અવસાનને પગલે ગુજરાતની લોકગીતોની એક અનન્ય પરંપરાની એક કડી આપણે ગુમાવી છે. પ્રભુ તેમની આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.'
તેમનો જન્મ મહેસાણા જિલ્લાના ઝાકસણા ગામમાં 4 ફેબ્રુઆરી, 1943ના રોજ થયો હતો. શ્રીમાળી સોની પરિવારમાં જન્મેલા બાબુભાઈનું મૂળ વતન મોરબીમાં મચ્છુનદીને કાંઠે આવેલું નાનાઘાંટીલા ગામ છે. તેઓ દોઢ વર્ષના હતા ત્યારે માતા સંતોકબહેને સંસારનો ત્યાગ કર્યો અને બાદમાં સમાધિ લીધી હતી. આ બનાવના થોડા સમય પહેલા જ તેમના પિતા અવસાન પામ્યા હતા.

નવ વર્ષની ઉંમરે મોરબી નજીક માંડલ ગામમાં જૈનુદ્દીન વોરાને ત્યાં તેમણે આશ્રય લીધો હતો. જેઓ વાયોલિન વગાડતા અને બાબુ રાણપુરા ગીતો ગાતા હતા. આ રીતે તેમના જીવનમાં સંગીતનો પ્રવેશ થયો હતો અને ત્યાર બાદ સંગીત જ તેમનું જીવન બની ગયું હતું.
મોરબીના આર ડી ભટ્ટે તેમને વિનયમંદિરમાં ભણવા મૂક્યો. ત્યાર બાદ ગણેશ નાટક મંડળીમાં મીઠા અવાજના કારણે તેમને લોકચાહના મળી અને ત્યારથી તેમની ગાયકીની સફર શરૂ થઈ.
બાબુ રાણપુરા માત્ર ગાયક જ નહીં લોકજીવન અને લોકસાહિત્યના મર્મી પણ હતા. લોકગીત, ભજન કે રાસડા તેમની પાસેથી સાંભળા લ્હાવો ગણાતો હતો.
તેમણે વર્ષ 1985માં પેરિસમાં ઉજવવામાં આવેલા 'ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા' પ્રસંગે એફિલ ટાવર પરથી 'આપણા મલકના માયાળુ માનવી...' ગીત ગાયું હતું. 1987માં મોસ્કોમાં યોજાયેલા ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાનો આરંભ પણ બાબુભાઇના ગીત સાથે થયો હતો.
બાબુ રાણપુરા વિશે અને તેમના સાહિત્ય વિશે ‘શિવમત', ‘બાબલ શતક', ‘નવરસ', ‘નવતાલ', ‘રાગ વંદના', ‘અવતારી', ‘અલગારી', ‘અવધૂત શ્રી બાબુ રાણપુરા', ‘અમરવેદ', ‘અવધૂત સંગે ઉજૈયણીમાં', ‘ઝાલાવાડનું મોરપિચ્છ' (અભિવાદન ગ્રંથ), ‘ભૂ ગરભ જગત વિજ્ઞાન - પથ્થરપુરાણ', ‘અદ્ભુત - અનુભૂત - અવધૂત છે' જેવા પુસ્તકો અને ગ્રંથો પ્રકાશિત થયા.
વર્ષ 1988માં ભારત સરકારે દક્ષિણ ભારતના સાંસ્કૃતિક ધામોના અભ્યાસ માટે તેમને મોકલ્યા હતા. આ ઉપરાંત
અન્ય ગ્રહ પર માનવવસ્તી છે કે કેમ ? તેની શોધમાં નાસા દ્વારા અંતરિક્ષમાં મોકલાયેલ ટાઇમ કેપ્સ્યુલમાં વિશ્વભરમાંથી વિવિધ ભાષામાં રેકોર્ડ કરાયેલ અવાજ મોકલાયા હતા. જેમાં ભારતભરમાંથી બાબુભાઈનો અવાજ ગુજરાતીમાં મોકલાયો હતો.
તેમને વર્ષ 2006માં ભારતના તત્કાલિન રાષ્ટ્રપતિ ડૉ. એ પી જે અબ્દુલ કલામ દ્વારા અકાદમી એવોર્ડ આપવામાં આવ્યો હતો. બાબુ રાણપુરાને રાજ્ય સરકારના લોકસંગીત માટેનો ગૌરવ પુરસ્કાર, રામાયણી મોરારિદાસ હરિયાણી પ્રેરિત કાગ અવાર્ડ તથા ભારત સરકારની સંગીત, નૃત્ય, નાટ્ય અકાદમી દ્વારા લોકસાહિત્યના સંવર્ધન માટે લોકસંગીત ક્ષેત્રનો પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય અવાર્ડથી સમ્માનિત કરાયા હતા.
-
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain




Click it and Unblock the Notifications
