For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મારી આંખે કંકુના સૂરજ આથમ્યા...રાસબિહારીની વિદાય

|
Google Oneindia Gujarati News

Rasbihari desai
અમદાવાદ, 6 ઓક્ટોબર: ગુજરાતી સુગમ સંગીતના પીઢ ગાયક રાસબિહારી દેસાઇનું આજે સવારે જીવરાજ મેહતા હોસ્પિટલમાં હૃદય બેસી જવાના કારણે નિધન થયું હતું.

રાસબિહારી દેસાઇ વ્યવસાયે ફિઝિક્સના અધ્યાપક હતા. તેઓ જાણીતા ગાયક અને કંપોઝર હતા. અમદાવાદની ભવન્સ કોલેજમાં આવેલી તેમની એકેડેમી થકી તેમણે ગુજરાતી સંગીત જગતમાં અમૂલ્ય ફાળો આપ્યો છે.

રાસબિહારીભાઇએ 1964માં વિભાબેન વૈશ્નવ સાથે પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. વિભાબેન વ્યવસાયે આયકર વિભાગમાં સંયુક્ત કમિશ્નર હતા.

રાસબિહારીભાઇએ 1961માં ‘શ્રૃતિ વૃંદ' નામનો ગુજરાત સુગમ સંગીત કાર્યક્રમ સામાન્ય માણસને ધ્યાનમાં રાખીને ચાલુ કર્યો હતો. જે ચાર દાયકા સુધી સ્પેનમાં સફળતાપૂર્વક ચાલ્યો હતો.

રાસબિહારીભાઇને ‘કાશીનો દીકરો' ફીલ્મમાં સંગીત માટે પુરસ્કાર એનાયત થયો હતો. તેમણે અન્ય ગુજરાતી ફીલ્મ ‘માંડવીની જૂઇ'માં પણ સંગીત આપ્યું હતુ. જ્યારે 'શ્રાવણમાધુરી', 'બીલીપત્ર' જેવા આલ્બમ પણ આપ્યા હતા.

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું હતું કે ‘અમને ગુજરાતના વિખ્યાત ગાયક અને કંપોઝર રાસબિહારી દેસાઇને ખુબ જ યાદ આવશે. ગુજરાતી સંગીતજગતમાં તેમનું અમૂલ્યવાન યોગદાન રહ્યુ છે. ભગવાન તેમની આત્માને શાંતિ અર્પે'

English summary
Veteran Gujarati Sugam Sangit artist Shri Rasbihari Desai is no more. He passed away today morning in Ahmedabad’s Jivraj Mehta hospital due to cardiac arrest.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X