ચોટલી કાપનાર ચેતી જજો, CID કરશે તપાસ
ઠેર ઠેર ચોટલા કપાવાની ઘટનાને પોલીસે ગંભીરતાથી લીધી છે. ગૃહ મંત્રીએ આ મામલે સીઆઇડીની તપાસ કરવાનો આદેશ આપ્યો છે. સાથે જ લોકો આ મામલે ખોટી અફવાઓથી દૂર રહે.
ગુજરાતમાં એક પછી એક અમરેલી, અમદાવાદ, રાજકોટમાં બનેલા ચોટલી કાપવાના બનાવ પછી ગુજરાતની રાજ્ય સરકારે આ મામલેને ગંભીરતાથી લઇને તેની તપાસ સીઆઇડી દ્વારા કરવામાં આવશે. આ અંગે રાજ્યના ગૃહ મંત્રી પ્રદીપ સિંહ જાડેજાએ જણાવ્યું હતું કે તંત્ર આ મામલાને ગંભીરતાથી લઇ રહી છે અને માટે જ આ અંગે સીઆઇડીને તપાસ સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે શુક્રવારે રાજ્યભરમાં 7 થી વધુ મામલોઓ તેવા બન્યા છે જેમાં મહિલાઓ સુઇ રહી હોય ત્યારે તેની ચોટલી આવીને કોઇ કાપી ગયું હોય. શુક્રવારે અમદાવાદના શાંતિપુરામાં 15 વર્ષીય યુવતી જોડે આવી ઘટના બનતા વટવા પોલીસને જાણ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે ચોટલી કાપવાની આ ઘટનાને અંધવિશ્વાસ સાથે જોડવામાં આવી રહ્યો છે. અને આ બનાવ પછી ચોટલી કાપનાર અનેક યુવતીઓના ઘરની આગળ લીંબુ મરચાં પણ લગાવવામાં આવ્યા છે. વધુમાં આ પ્રકરણના કારણે રાજ્ય ભરમાં જાત જાતની અફવાઓ પણ ફેલવવામાં આવી રહી છે જેમાં કોઇ તથ્ય નથી. વળી ગુજરાતમાં બનેલા આવા કેટલીક ઘટનાઓ આવું કરનાર ઘરના લોકો હોવાનું પણ બહાર આવ્યું છે. ત્યારે વનઇન્ડિયાની લોકોને એક જ અરજ છે કે આવી ખોટી અફવાઓ ફેલવતા બચવું અને આવી ખોટી અફવાઓ દૂર રહેવું. વધુમાં જાણકારો પણ આ ઘટનાઓને માનવસર્જિત જ ગણાવી રહ્યું છે.