અહમદ પટેલ: મને તે નથી સમજાતું કે મને કેમ ટાર્ગેટ કરાય છે?
અહમદ પટેલ નીકાળ્યો ભાજપ પર બળાપો. સાથે જ તેમણે પોતાના ધારાસભ્યો પર વ્યક્ત કર્યો વિશ્વાસ. ત્યારે જાણો અહમદ પટેલે રાજ્યસભાની ચૂંટણી પહેલા શું કહ્યું ભાજપ વિષે.
અહમદ પટેલે આજે આણંદમાં જઇને કોંગ્રેસના તમામ ધારાસભ્યોને વ્યક્તિગત રીતે મળ્યા હતા. સાથે જ તેમણે વિશ્વાસ વ્યક્તિ કર્યો હતો કે તેમના ધારાસભ્યો તેમને જ વોટ આપશે. ઉલ્લેખનીય છે કે 8 ઓગસ્ટ એટલે કે મંગળવારે રાજ્યસભાની ચૂંટણી છે. જેમાં ભાજપના 3 નેતા અને કોંગ્રેસથી અહમદ પટેલ ઊભા રહ્યા છે. ત્યારે ભાજપ વિરુદ્ધ પોતાનો બળોપો નીકાળતા અહમદ પટેલ કહ્યું કે મને તે નથી સમજાતું કે મને શા માટે ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે મને મારા ધારાસભ્યો પર પૂર્ણ વિશ્વાસ છે. વધુમાં પટેલે જણાવ્યું કે એ લોકો ખાલી કોંગ્રેસ મુક્ત જ ભારત નહીં પણ એસી-એટી અને લઘુમતિ મુક્ત રાજ્યસભા- લોકસભા પણ કરવા માંગે છે. સાથે તેમણે કોઇનું પણ નામ ના લીધા વગર જણાવ્યું કે તેમણે જ્યારે ઉમેદવારો ઊભા રાખ્યા ત્યાં સુધી અમારી પાસે 16 વધારા મત હતા. તેનો એ જ મતલબ થયો કે તેઓ હોર્સ ટ્રેડિંગ કરવા માંગે છે. તમે તો જાણો જ છો કોણ?

ઉલ્લેખનીય છે કે અનેક મુશ્કેલીઓમાંથી પસાસ થઇ રહેલા કોંગ્રેસના માટે છેલ્લે છેલ્લે એક સારા સમાચાર પણ આપ્યા છે. અહમદ પટેલે જણાવ્યું છે કે તેમના જૂના સાથી તેવા એનસીપી કોંગ્રેસ પણ તેમને સમર્થન આપશે. જો કે સાંજ સુધી એનસીપી તરફથી કોઇ અધિકૃત નિવેદન નથી આવ્યું પણ સવારે જ્યારે મીડિયા દ્વારા તેમને પુછવામાં આવ્યું હતું ત્યારે એનસીપી કોંગ્રેસે સ્પષ્ટતા આપવાનું ટાળ્યું હતું.
Sirf Cong mukt Bharat message nhi h,wo SC ST reservation khatam karna chahte hain, wo minority mukt house (LS &RS) bhi chaahte hain: A Patel pic.twitter.com/GOkwcElpW1
— ANI (@ANI_news) August 7, 2017
નોંધનીય છે કે કાલે યોજાનારી ગુજરાત રાજ્યસભાની ચૂંટણીમાં અમિત શાહ, સ્મૃતિ ઇરાની અને બળવંત રાજપૂતે ઉમેદવારી નોંધાવી છે. જેમાંથી અમિત શાહ અને સ્મૃતિ ઇરાનીની જીતવું નિશ્ચિત જ છે તેમ કહી શકાય. પણ બલવંતસિંહ રાજપૂતની વિરુદ્ઘમાં કોંગ્રેસ તરફથી ઉભેલા અહમદ પટેલ માટે મંગળવારે બહુમતિ સાબિત કરવી લોઢાના ચણા ચાવવા જેટલું મુશ્કેલ બની રહેશે. અને તેમાં જો ક્રોસ વોટિંગ થયું તો કોંગ્રેસને લાંબા ગાળાનું મોટું નુક્શાન થવાની સંભાવના રહેલી છે.
-
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા





Click it and Unblock the Notifications
