આ 5 તહેવારોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સોમવારે પણ લોકો માટે ખુલ્લુ રહેશે
એકતાનગર કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અન્ય પ્રવાસી આકર્ષણો હવે લોંગ વિકેન્ડમાં સોમવારે ખુલ્લા રહેશે, જેથી મુલાકાતીઓને લાંબા વીકએન્ડનો લાભ મળે.
આ કિસ્સાઓમાં પ્રતિમા અને અન્ય આકર્ષણો સોમવારને બદલે મંગળવારે સાપ્તાહિક જાળવણી માટે બંધ રહેશે.

ધુળેટી (માર્ચ), બકરા ઈદ (17 જૂન), રક્ષાબંધન (19 ઓગસ્ટ), જન્માષ્ટમી (26 ઓગસ્ટ) અને ઈદ (16 સપ્ટેમ્બર) પર પ્રતિમા અને અન્ય પ્રવાસી આકર્ષણો ખુલ્લા રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ તહેવારો સોમવારે આવે છે. આ કારણે પ્રતિમા અને અન્ય આકર્ષણો 26મી માર્ચ, 18મી જૂન, 20મી ઓગસ્ટ, 28મી ઓગસ્ટ અને 17મી સપ્ટેમ્બર-બધા મંગળવારના રોજ બંધ રહેશે.
આમ વર્ષ 2024 દરમિયાન પાંચ સોમવારે પ્રતિમા અને અન્ય આકર્ષણો મુલાકાતીઓ માટે ખુલ્લા રહેશે અને સાપ્તાહિક જાળવણીનો દિવસ મંગળવાર પર ખસેડવામાં આવશે.












Click it and Unblock the Notifications
