ગાંધીનગરના ઐતિહાસિક અને ધાર્મિક સ્થળોએ ઉજવાયો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ
ગાંધીનગર આંતરરાષ્ટ્રીય જિલ્લા કક્ષાનો કાર્યક્રમ અડાલજ ત્રિમંદિર સંકુલ ખાતે રાખવામાં આવ્યો હતો. આ વખતે રાજ્યમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસે આઝાદીના 75 વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રાજ્યના 75 ઐતિહાસિક, સાસ્કૃતિક સ્થળ
ગાંધીનગર આંતરરાષ્ટ્રીય જિલ્લા કક્ષાનો કાર્યક્રમ અડાલજ ત્રિમંદિર સંકુલ ખાતે રાખવામાં આવ્યો હતો. આ વખતે રાજ્યમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસે આઝાદીના 75 વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રાજ્યના 75 ઐતિહાસિક, સાસ્કૃતિક સ્થળોએ યોગનું આયોજન કરવામાં આવ્યુ છે. તે જ રીતે ગાંધીનગર જિલ્લામાં ઐતિહાસિક, ધાર્મિક સ્થળોએ પણ યોગ કરવામાં આવ્યો હતો.

જિલ્લાના ધાર્મિક અને સાસ્કૃતિ મહત્વ ધરાવતા સ્થળો અડાલજની વાવ, અંબાપુર વાવ કંથારપુર વડ અને રૂપાલ વરદાયિની માતાજી મદિર ખાતે પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
ગાંધીનગર ખાતે સેન્ટર વિસ્ટા ગાર્ડન ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમા મોટી સંખ્યામાં યુવાનો, મહિલાઓ વૃદ્ધો અને બાળકો જોડાયા હતા 8 માં આંતરાષ્ટ્રીય યોગ દિવસ સમગ્ર વિશ્વ મનાવી રહ્યો છે ત્યારે ગાંધીનગરમાં મેયર હિતશ મકવાણા, ડેપ્યુટી મેયર સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન, ભાજપના શહેર પ્રમુખ રૂચિર ભટ્ટ જિલ્લા કલેક્ટર કુલદીપ આર્યા સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા
માનવતા માટે યોગ - આ થીમ અંતર્ગત તા. ૨૧મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ગાંધીનગર જિલ્લામાં પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને પ્રયત્નોથી સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણી કરાઇ રહી છે.
ગાંધીનગર જિલ્લામાં યુવાનો અને બાળકો ઉપરાંત વડીલો, મહિલાઓ અને વિકલાંગોને પણ યોગમાં મોટી સંખ્યામાં ભાગ લઇને યોગ કર્યા હતા. આજે ગાંધીનગર જિલ્લાની સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ યોગમાં જોડાયા હતા.
ગાંધીનગરના મેયર હિતેશ મકવાણાએ જણાવ્યુ હતુ કે આજના ટ્રેસ ભરેલી લાઇફમાં યોગનું ભારે મહત્વ છે. પ્રધાનમંત્ર નરેન્દ્ર મોદીએ દેશ અને દુનિયાને સમજાવ્યુ કે યોગ કરવાથી જે આજની લાઇફ સ્ટાલ છે તેમાથી તણાવ મુક્ત કેવી રીતે રાખી શકાય તે સંદેશ પ્રધાનમત્રીએ આપ્યો છે.












Click it and Unblock the Notifications
