Jalaram bapa controversy : જલારામ બાપા વિશે બફાટ કરનારા જ્ઞાન પ્રકાશને મોરારી બાપુએ અરીસો દેખાડ્યો
Jalaram bapa controversy : સ્વામિનારાયણના સાધુ જ્ઞાન પ્રકાશે જલારામ બાપા પર આપેલા નિવેદન મામલે વિવાદ સર્જાયો હતો. આ વિવાદ વધતા સ્વામીને જલારામ બાપાના પગે પડીને માફી માંગવી પડી હતી.
જો કે આ મ છત્તા આ મામલો હજુ શમ્યો નથી. હજુ પણ સનાતનને માનનારા લોકોની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. આ ક્રમમાં જ મોરારી બાપુની પ્રતિક્રિયા સામે આવી છે.

વિવાદ પર મોરારી બાપુએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે, જલારામ બાપાને નીચા દેખાડવાના પ્રયાસો થઈ રહ્યા છે, જે જેને માનતા હોય તેને ઉંચા ચિતરે છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, સદ્દનું વ્રત ધારણ કરનારને સદાવ્રતનો ખ્યાલ આવે. પુસ્તકમાં કંઇપણ લખાયું હોય પણ સત્યને સાથે રાખવું આવશ્યક છે. મોરારી બાપુએ વધુમાં કહ્યું કે સનાતન ધર્મ પર અવાર-નવાર પ્રહાર થતા આવ્યા છે, જે અસ્વીકાર્ય છે.
જણાવી દઈએ કે, અમરોલી ખાતેના એક સત્સંગ દરમિયાન જ્ઞાન પ્રકાશ સ્વામીએ જલારામ બાપા વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું.
તેમણે સત્સંગમાં કહ્યું હતું કે, જલારામ બાપાએ સદાવ્રત માટે ગુણાતીત સ્વામી પાસે આશીર્વાદ માગ્યા હતા. તેમણે પ્રાર્થના કરી હતી કે, મારી એકમાત્ર ઇચ્છા છે કે અહીં કાયમ માટે સદાવ્રત ચાલે અને જે કોઈ અહીં આવે તેને પ્રસાદ મળે.
જલાભગતે ગુણાતીત સ્વામીને ભોજન કરાવ્યું હતું, જે બાદ ગુણાતીત સ્વામીએ જલાભગતને આશીર્વાદ આપ્યા કે, તમારો ભંડારો કાયમ માટે ભરેલો રહેશે.
આ નિવેદનને કારણે જલારામ બાપાના ભક્તોમાં અસંતોષ ફેલાયો હતો. બફાટ કરનારા જ્ઞાન પ્રકાશ સ્વામી સામે ભારે વિરોધ વ્યક્ત થયો અને ભક્તોએ માફી માગવાની માંગ ઉઠાવી હતી.
વિવાદ વધુ ઉગ્ર બનતા જ્ઞાન પ્રકાશને વિરુપર જઈ જલારામ બાપાના મંદિરમાં ઘુંટણીએ પડીને માફી માંગવી પડી હતી. આ ઘટના હજુ પણ ચર્ચાનો વિષય બની છે અને આ વિવાદને લઈને વિવિધ મંતવ્ય સામે આવી રહ્યા છે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત



Click it and Unblock the Notifications
