For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતના ગીરના જંગલમાં 11 દિવસોમાં 11 સિંહોના સનસનીખેજ મોત

ગુજરાતના જૂનાગઢ સ્થિત ગીરના જંગલમાં છેલ્લા 11 દિવસોમાં સિંહોની મોતનો મામલો સામે આવ્યો છે. વેટેનરી અધિકારી એચ વાંઝાએ જણાવ્યુ કે આ બધા સિંહોના મોત ફેફસામાં ઈન્ફેક્શનના કારણે થયા છે.

|
Google Oneindia Gujarati News

ગુજરાતના જૂનાગઢ સ્થિત ગીરના જંગલમાં છેલ્લા 11 દિવસોમાં સિંહોની મોતનો મામલો સામે આવ્યો છે. વેટેનરી અધિકારી એચ વાંઝાએ જણાવ્યુ કે આ બધા સિંહોના મોત ફેફસામાં ઈન્ફેક્શનના કારણે થયા છે. જો કે હજુ સુધી એ વાતની જાણકારી નથી મળી કે આ સિંહેના ફેફસામાં ઈન્ફેક્શન કેવી રીતે થયુ. તેમણે જણાવ્યુ કે અમે આ મામલાની તપાસ કરી રહ્યા છે અને તમામ સિંહોને આનાથી બચવા માટે દવાઓ પણ આપી રહ્યા છે. જેથી આ ઈન્ફેક્શનનો પ્રભાવ અન્ય સિંહો પર ના પડે.

gir lion

તમને જણાવી દઈએ કે ગીર અભ્યારણ્ય એશિયાઈ સિંહોનું એકમાત્ર સ્થળ છે. દુનિયાભરમાં આ સિંહોની પ્રજાતિનું કોઈ સ્થળ બચ્યુ નથી. આ પહેલા પણ અહીં ત્રણ સિંહોના કંકાલ મળ્યા હતા પરંતુ તપાસ બાદ આ આંકડો 11 સુધી પહોંચી ગયો છે. સૂત્રોની માનીએ તો આ સંખ્યા હજુ વધી શકે છે. વન વિભાગના અધિકારી અભયારણ્યમાં તપાસ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ કલ્યાણપુરઃ અકસ્માત કે હત્યા? પોલીસે તપાસ હાથ ધરીઆ પણ વાંચોઃ કલ્યાણપુરઃ અકસ્માત કે હત્યા? પોલીસે તપાસ હાથ ધરી

ગીરના પૂર્વ ડિવિઝનના ઉપ વર સંરક્ષક પી પુરુષોત્તમે પોતે 10 સિંહોના મરવાની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યુ કે જે સિંહોના શબ મળી આવ્યા છે તેમની ઉંમર એકથી સાત વર્ષ વચ્ચેની છે. તમને જણાવી દઈએ કે 2015 ની જનસંખ્યા મુજબ અહીં કુલ 523 સિંહો હતા.

English summary
Junagadh: 11 lions have died in Gir forest in the past 11 days.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X