ગિરનારની લીલી પરિક્રમા શરૂ, પર્યાવરણની જાળવણીને મહત્વ
આજથી ગિરનારમાં થયો લીલી પરિક્રમાનો પ્રારંભ, પર્યાવરણની જાળવણીનું મહત્વ અગ્રસ્થાને. વધુ વાંચો અહીં
ગિરનારની લીલી પરિક્રમા કરવી તે જીવનનો મોટો લ્હાવો ગણાય છે. મંગળવારે દેવ ઊઠી એકાદશીથી શરૂ થયેલી આ યાત્રા 36 કિલોમીટરના રૂટ સુધી વિસ્તરેલી છે અને દેવ દિવાળી એટલે કે પૂનમના દિવસે પૂર્ણ થાય છે. લાખો શ્રદ્ધાળુઓ આ પરિક્રમાનો ભાગ બનીને ધન્યતા અનુભવતા હોય છે. દેવ ઊઠી એકાદશીની મધરાતથી શરૂ થતી ગિરનારની લીલી પરિક્રમામાં કરવા માટે શ્રદ્ધાળુઓ તત્પર રહેતા હોય છે, ત્યારે આ વખતે શનિ રવિની રજાઓ આવતા શ્રદ્ધાળુઓએ લીલી પરિક્રમા વહેલી આરંભી દીધી હતી. હાલમાં ગિરનાર તળેટી અને આસપાસનો વિસ્તાર શ્રદ્ધાળુઓથી ઉભરાવા માંડ્યો હતો.

ગિરનાર અને તેના જંગલોનું પર્યાવરણ સચવાઈ રહે તે માટે પ્રકૃતિ મિત્ર સંસ્થા દ્વારા લોકો પાસેથી પ્લાસ્ટિક બેગ લઇને તેમને કાગળની થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભજન, ભક્તિ અને ભોજનના સંગમ સાથે પરિક્રમાવાસીઓનો મહેરામણ અત્યારે ગિરનાર તરફ વહી રહ્યો છે, પ્રકૃતિ પ્રેમી ડોક્ટર ચિરાગ દેસાઈએ જણાવ્યું હતું કે, તેઓ પરિક્રમાએ આવતા લોકોમાં ત્રણ લાખ જેટલી થેલીઓ વિતરણ કરવાનું આયોજન કર્યુ્ છે. જેથી જંગલનું તથા જંગલમાં વસતી જીવ સૃષ્ટિનું અસ્તિત્વ જળવાઈ રહે. જોકે શ્રદ્ધાળુઓ જે રીતે ટ્રેનમા ખીચોખીચ બેસીને તથા ટ્રેન ઉપર બેસીને જે રીતે જોખણી મુસાફરી કરી રહ્યા છે. તે જોતા કેટલાક નાગરિકોએ માંગણી કરી હતી કે, તંત્રએ આ તરફ ધ્યાન આપવું જોઈએ અને ગિરનાર પહોંચવા અન્ય વ્યવસ્થા પણ કરવી જોઈએ.

-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
