હાર્દિકના ઉપવાસનો 11મો દિવસ, દેવગૌડાની પીએમને હસ્તક્ષેપ કરવાની અપીલ
પાટીદાર આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલ ભૂખ હડતાળ પર છે અને તેમની ભૂખ હડતાળનો આજે 11 મો દિવસ છે. હાર્દિક પટેલને તેમના આમરણાંત ઉપવાસ ખતમ કરવા માટે ઘણા પક્ષના નેતાઓએ અપીલ કરી છે.
પાટીદાર આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલ ભૂખ હડતાળ પર છે અને તેમની ભૂખ હડતાળનો આજે 11 મો દિવસ છે. હાર્દિક પટેલને તેમના આમરણાંત ઉપવાસ ખતમ કરવા માટે ઘણા પક્ષના નેતાઓએ અપીલ કરી છે. હાર્દિક પટેલ નોકરી અને શિક્ષણમાં અનામત, ખેડૂતોની દેવામાફી અંગે 25 ઓગસ્ટથી અમદાવાદ સ્થિત પોતાના ઘરે આમરણાંત ઉપવાસ પર બેઠા છે. જે બાદ સોમવારે પૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવગૌડા અને જેડીએસ ચીફ એચડી દેવગૌડાએ અપીલ કરી છે કે હાર્દિક પોતાના ઉપવાસ ખતમ કરી દે. જે રીતે હાર્દિકની તબિયત બગડી રહી છે તે બાદ દેવગૌડાએ હાર્દિકને ઉપવાસ ખતમ કરવાની અપીલ કરી છે. સાથે પીએમ મોદીને આ મામલે હસ્તક્ષેપ કરવા કહ્યુ છે.

દેવગૌડાએ લખ્યો પત્ર
પ્રધાનમંત્રી મોદીને લખેલા પત્રમાં દૈવગૌડાએ કહ્યુ છે કે રાજસ્થાનમાં ઓબીસી શ્રેણીનાના લોકોને તેમના કાર્યકાળમાં અનામત આપવામાં આવ્યુ હતુ. હું તમને અપીલ કરુ છુ કે આ પાટીદાર અનામત માટે એક કમિશનની રચના કરો. વળી, દેવગૌડાએ ગુજરાતના મુખ્યમંત્રીને અપીલ કરી છે કે તેઓ આ અનામત બાબતને કેન્દ્ર સામે રાખે અને હાર્દિક પટેલના ઉપવાસ ખતમ કરાવવા માટે આગળ આવે. વળી, બીજી તરફ ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સપા અધ્યક્ષ અખિલેશ યાદવે પણ હાર્દિક પટેલને પોતાના ઉપવાસ ખતમ કરવા માટે અપીલ કરી છે.
અખિલેશે કર્યુ સમર્થન
અખિલેશ યાદવે ટ્વિટ કરીને હાર્દિક પટેલને અપીલ કરી છે કે તે પોતાના ઉપવાસ ખતમ કરી દે. તેમણે ટ્વિટ કરીને લખ્યુ કે હાર્દિક પટેલ પોતાના સમાજ તેમજ ખેડૂતો પ્રત્યે કરાયેલા સંકલ્પોની પૂર્તિ માટે જે રીતે ઉપવાસ કરીને સંઘર્ષ કરી રહ્યા છે તે પ્રશંસનીય છે પરંતુ અમારો તેમને આગ્રહ છે કે તેઓ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે કારણકે જનતાને જાગ્રત કરનાર તેમના આંદોલન અને સમર્થકોને તેમના સક્રિય નેતૃત્વની પરમ આવશ્યકતા છે. આ પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ હાર્દિકના સમર્થનમાં અપીલ કરી હતી.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા









Click it and Unblock the Notifications
