Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મોદીની આંધી વચ્ચે છોટા ઉદેપુરમાં ‘રામ-રામ’ કે ‘નારાયણ-નારાયણ’?

ગુજરાતમાં 30 એપ્રિલે લોકસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે અને તેને હવે 5 દિવસનો સમય જ રહી ગયો છે. રાજ્યભરમાં ચૂંટણી માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યની 26 બેઠકોમાંથી કેટલી બેઠકો કોને મળશે તેનું ગણીત રાજકીય વિશ્લેષકો લગાવી રહ્યાં છે, તો દેશની બે મોટી પાર્ટી ભાજપ અને કોંગ્રેસ ગુજરાતમાં સૌથી વધારે બેઠકો પર પોતાના ઉમેદવારોને વિજયી બનાવવામાં લાગી ગઇ છે. દેશમાં એક તરફ મોદીની લહેર છે અને જે ઓપિનિયન પોલ બહાર આવી રહ્યાં છે, તેમાં પણ ગુજરાતમાં ભાજપ 20 કરતા વધુ બેઠકો મેળવશે તેવો અદાંજો લગાવવામાં આવી રહ્યો છે. ત્યારે છોટા ઉદેપુર બેઠકનો ચિતાર કેવો છે, તેના પર નજર ફેરવીએ.

છોટા ઉદેપુર બેઠક અંગે વાત કરીએ તો કોંગ્રેસના ઉમેદવાર નારણ રાઠવા માટે આ જંગ પોતાની સાખ પરત મેળવવાનો છે. એક સમયે આ બેઠક પર નારણ રાઠવા સતત ચૂંટાતા આવતા હતા, પરંતુ ભાજપના ઉમેદવાર રામસિંહ રાઠવાએ 1999 અને 2009માં નારણ રાઠવાને પરાજય આપ્યો હતો. જ્યારે રામસિંહ રાઠવા માટે આ બેઠક જાળવી રાખવાનો જંગ છે. બેઠકના ઇતિહાસ પર નજર ફેરવીએ તો એક સમયે આ બેઠક કોંગ્રેસનો ગઢ હતી પરંતુ 1989માં નારણ રાઠવા જનતા દળ તરફથી ચૂંટણી લડ્યાં અને આ બેઠક પર વિજયી થયા તેઓ 1989 અને 1991ની લોકસભાની ચૂંટણી જનતા દળ તરફથી લડ્યા હતા.

પરંતુ 1996માં તેઓ કોંગ્રેસમાં જોડાયા કોંગ્રેસમાં જોડાયા બાદ આ બેઠક ફરી કોંગ્રેસનો ગઢ બની ગઇ અને નારણ રાઠવા 1996 અને 1998માં આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે વિજયી થયાં, પરંતુ 1999માં ભાજપના રામસિંહે તેમને પરાજિત કર્યા, જ્યારે 2004માં ફરી નારણ રાઠવા વિજેતા થયા હતા અને 2009માં ફરી ભાજપના જ રામસિંહ રાઠવાએ વિજયનો કેસરિયો લહેરાવ્યો હતો. આ વખતે પણ આ બેઠકમાં કયા રાઠવા ઉમેદવાર વિજયી થશે તે જોવાનું રસપ્રદ રહશે પરંતુ તેમ છતાં મોદીની લહેરને જોતા રામસિંહનો વિજય નિશ્ચીત જણાઇ રહ્યો છે.

ભાજપના ઉમેદવાર

ભાજપના ઉમેદવાર

ભાજપના ઉમેદવાર રામસિંહ રાઠવાએ કહ્યું છેકે નેરોગેજ લાઇન માટે હેરિટેજ સ્ટેટસની માંગણી કરાશે. ચાંપાનેર-પાવાગઢ રેલવે લાઇનને અપગ્રેડ કરવામાં આવશે. ડભોઇને ચાંદોદ અને સરદાર સરોવર સાથે લિંકિંગ કરવામાં આવશે. કપાસ પર લાગેલા પ્રતિબંધને હટાવવામાં આવશે. પશ્ચિમ રેલવેના હેડ ક્વાર્ટરને ગુજરાત શિફ્ટ કરવું જોઇએ.

કોંગ્રેસનો ઉમેદવાર

કોંગ્રેસનો ઉમેદવાર

કોંગ્રેસના ઉમેદવાર નારણ રાઠવાએ કહ્યું છેકે ડભોઇમાં 350 કરોડ રૂપિયાનો ઇલેક્ટ્રિક એન્જીન રીપેર વર્કશોપ શરૂ કરાશે, છોટાઉદેપુરથી ધાર અને ઇન્દોર સુધી રેલવે લાઇન લાંબી કરવામાં આવશે. રેસિડેન્ટલ સ્કૂલ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે.

આમ આદમી પાર્ટીનો ઉમેદવાર

આમ આદમી પાર્ટીનો ઉમેદવાર

આમ આદમી પાર્ટીના ઉમેદવાર અર્જુન રાઠવાએ કહ્યું છેકે અહી એસએસપી મુખ્ય મુદ્દો હોવાના કારણે જે લોકોએ પોતાની જમીન ગુમાવી છે તેમના રીસેટલમેન્ટનો મુદ્દો મુખ્ય છે. છોટા ઉદેપુર, કવાંટ, પાવી જેતપુર અને નસવાડી સહિત અને વિસ્તારોને એસટીના સર્ટિફિકેટ મળ્યા નથી.

કઇ જ્ઞાતિના કેટલા મતદાતાઓ

કઇ જ્ઞાતિના કેટલા મતદાતાઓ

આ બેઠક પર આદિવાસી મતદાતાઓની સંખ્યા વધારે છે. કુલ મતદાતાઓમાં 55 ટકા આદિવાસી, 12 ટકા ઓબીસી, 8 ટકા મુસ્લિમ અને 3 ટકાની આસપાસ એસસી મતદાતાઓ છે.

પરિણામ પર એક નજર

પરિણામ પર એક નજર

1977
કોંગ્રેસઃ- અમરસિંહ રાઠવા- 170343
બીએલડી- મનહરભાઇ રાઠવા- 129220
તફાવતઃ- 41123

1980
કોંગ્રેસઃ- અમરસિંહ રાઠવા- 209984
જનતા પાર્ટીઃ- મોહનસિંહ રાઠવા- 137501
તફાવતઃ- 72483

1984
કોંગ્રેસઃ- અમરસિંહ રાઠવા- 222414
જનતા પાર્ટીઃ- ભિમસિંહ કોલિઢોર- 110427
તફાવતઃ- 111987

1989
જનતાદળઃ- નારણસિંહ રાઠવા- 228521
કોંગ્રેસઃ- અમરસિંહ રાઠવા- 207220
તફાવતઃ- 21301

પરિણામ પર એક નજર

પરિણામ પર એક નજર

1991
જનતાદળઃ- નારણસિંહ રાઠવા- 173809
ભાજપઃ- ભીખુભાઇ રાઠવા- 129722
તફાવતઃ- 44087

1996
કોંગ્રેસઃ- નારણસિંહ રાઠવા- 172216
ભાજપઃ- અર્જુનસિંહ રાઠવા- 114310
તફાવતઃ- 57906

1998
કોંગ્રેસઃ- નારણભાઇ રાઠવા- 279867
ભાજપઃ- રામસિંહ રાઠવા- 218852
તફાવતઃ- 61015

પરિણામ પર એક નજર

પરિણામ પર એક નજર

1999
ભાજપઃ- રામસિંહ રાઠવા- 248970
કોંગ્રેસઃ- નારણભાઇ રાઠવા- 247772
તફાવતઃ- 1198

2004
કોંગ્રેસઃ- નારણભાઇ રાઠવા- 246855
ભાજપઃ- રામસિંહ રાઠવા- 210616
તફાવતઃ- 36239

2009
ભાજપઃ- રામસિંહ રાઠવા- 353534
કોંગ્રેસઃ- નારણભાઇ રાઠવા- 326536
તફાવતઃ- 26998

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X