ગોધરાની જેમ પુલવામાં હુમલો પણ ભાજપનું ષડયંત્ર: શંકરસિંહ વાઘેલા
જમ્મુ કાશ્મીરના પુલવામાંમાં સીઆરપીએફ જવાનોના કાફલા પર થયેલા આતંકી હુમલા પર રાજનીતિ ગરમાઈ રહી છે.
જમ્મુ કાશ્મીરના પુલવામાંમાં સીઆરપીએફ જવાનોના કાફલા પર થયેલા આતંકી હુમલા પર રાજનીતિ ગરમાઈ રહી છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને એનસીપી નેતા શંકરસિંહ વાઘેલાએ મોટો આરોપ લગાવતા પુલવામાં હુમલાને એક ષડયંત્ર ગણાવ્યું છે. તેમને આરોપ લગાવ્યો છે કે ભાજપા ચૂંટણી જીતવા માટે આતંકવાદનો સહારો લેતી રહી છે. શંકરસિંહ વાઘેલાના આ નિવેદન પછી ભારતની રાજનીતિ ગરમાઈ શકે છે.
આ પણ વાંચો: લોકસભા ચૂંટણી પછી, ગુજરાતને જળ સંકટનો સામનો કરવો પડશે, ડેમમાં પાણી ઓછું
પુલવામાં હુમલો પણ ભાજપનું ષડયંત્ર: શંકરસિંહ વાઘેલા
શંકરસિંહ વાઘેલા ઘ્વારા જણાવવામાં આવ્યું કે ગોધરાની જેમ પુલવામાં હુમલો પણ ભાજપનું ષડયંત્ર હતું. એનસીપી નેતા ઘ્વારા જણાવવામાં આવ્યું કે પુલવામાં હુમલામાં આરડીએક્સ લઇ જવા માટે જે ગાડીનો ઉપયોગ થયો હતો, તેનું રજીસ્ટ્રેશન નંબર ગુજરાતનું છે. શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે ગોધરા પણ ભાજપનું જ ષડયંત્ર હતું.
બાલાકોટમાં કોઈ નથી મર્યું: શંકરસિંહ વાઘેલા
શંકરસિંહ વાઘેલા ઘ્વારા બાલાકોટ એર સ્ટ્રાઇકને પણ સમજી વિચારીને કરેલું ષડયંત્ર ગણાવ્યું. તેમને કહ્યું કે બાલાકોટમાં કોઈ નથી મર્યું. કોઈ પણ ઇન્ટરનેશનલ એજેન્સી આ સાબિત નથી કરી શકી કે ત્યાં 200 આતંકીઓ માર્યા ગયા છે. વાઘેલા ઘ્વારા જણાવવામાં આવ્યું કે પુલવામાં અંગે ખુફિયા સૂત્રો ઘ્વારા મળેલી જાણકારી છતાં પણ કોઈ પગલાં નહીં લેવામાં આવ્યા. શંકરસિંહ વાઘેલાએ મોદી સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે જો બાલાકોટ અંગે પહેલાથી જ જાણકારી હતી તો આ કેમ્પ પર પહેલા જ કોઈ કાર્યવાહી કેમ નહીં કરવામાં આવી.
ભાજપનું ગુજરાત મોડલ ખોટું: શંકરસિંહ વાઘેલા
ભાજપ પર પ્રહાર કરતા શંકરસિંહ વાઘેલા ઘ્વારા જણાવવામાં આવ્યું કે ભાજપનું ગુજરાત મોડલ ખોટું છે, રાજ્ય ઘણી મુસીબતનો સામનો કરી રહ્યું છે. ભાજપા નેતાઓ પોતાની પાર્ટીથી નારાજ છે.