NGT દ્વારા મોરબીના સિરામિક એકમોને મોટો ઝટકો, ભરવો પડશે 122 કરોડનો દંડ
મોરબીના સિરામિક ઉદ્યોગ જગત માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે, જેમાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પર્યાવરણીય નુકસાનના વળતર (EDC) પેટે ફટકારવામાં આવેલા કરોડોના દંડ મામલે રજૂ કરવામાં આવેલી 337 એકમોની અરજી ટ્રિબ્યુનલે સદંતર ફગાવી દીધી છે.

આ સમગ્ર વિવાદની વિગત મુજબ, મે 2025માં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા વિસ્તારના કુલ 606 સિરામિક એકમોને ભારે દંડ ફટકારવામાં આવ્યો હતો.
તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે કોલ ગેસિફાયરના અનધિકૃત ઉપયોગના કારણે પર્યાવરણને મોટું નુકસાન થયું છે, જેના બદલે 122.05 કરોડનો દંડ લાદવામાં આવ્યો હતો.
GPCBના આ કડક આદેશ સામે મોરબી અને વાંકાનેરના અંદાજે 337 જેટલા પ્રદૂષણ ફેલાવતા એકમોએ રાહત મેળવવા માટે NGTના દ્વાર ખખડાવ્યા હતા.
જોકે, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે ઉદ્યોગકારોની દલીલો માન્ય રાખી નથી અને હવે આ તમામ એકમોએ ફરજિયાતપણે દંડની રકમની ચુકવણી કરવી પડશે તેવું સ્પષ્ટ બન્યું છે.












Click it and Unblock the Notifications
