વડોદરામાં મોદીએ કહ્યું, ‘હું તો મજૂર નંબર વન છું’
વડોદરા, 16 મેઃ આ વખતની લોકસભાની ચૂંટણીમાં સંપૂર્ણ બહુમતિ સાથે વિજયી થયા બાદ ભારતીય જનતા પાર્ટીના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ વડોદરામાં પહેલી સભા કરી હતી. જ્યાં તેમણે વડોદરા સહિત ગુજરાતની જનતાનો આભાર માન્યો હતો, વારાણસીની જનતાનો આભાર માન્યો હતો અને દેશમાં સંપૂર્ણ બુહમતિ અપાવવા બદલ આખા દેશનો આભાર માન્યો હતો. ગુજરાતમાં 26 બેઠકો પર ભાજપને વિજેતા બનાવવા બદલ ગુજરાતનું વિશેષ અભિવાદન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે હું તો મજૂર નંબર વન છું અને મારી મજૂરીનો મે ચૂંટણી દરમિયાન પરચો આપી દીધો છે. દેશ ચલાવવા માટે બધાનો સાથ જોઇએ. હું દરેક સાંસદોને શુભેચ્છા પાઠવું છું.
દેશભરના ટીવી મીડિયાના લોકો આજે સવારથી ઇચ્છતા હતા કે હું કંઇક બોલું, પરંતુ મારું મન કરતું હતું કે જો બોલીશ તો વડોદરામાં આવીને. પહેલો હક છે તો વડોદરાના મારા ભાઇઓ બહેનોનો છે. તમે મને જણાવો કે, આજનો દિવસ કેવો લાગી રહ્યો છે. અચ્છે દિન.... જનતા(આ ગયે) અહીથી લઇને ત્યાં સુધીની યાત્રા છે અને આજે હું અહી આવ્યો છું વિશેષ રીતે તમારા બધાનું અભિનંદન કરવા, ધન્યવાદ કરવા માટે.
વ્યક્તિ રીતે ઉમેદવાર તરીકે બે મહત્વપૂર્ણ વાતો મારી સાથે થવાની હતી. વડોદરામાં મુશ્કેલીથી નામાકંન ભર્યા પછી માત્ર 50 મીનિટ દઇ શક્યો. હું વડોદરાની જનતાને શીશ ઝુકાવીને નમન કરું છું. તમે જે પ્રેમ આપ્યો છે અને એક-એક મતદાતાએ નરેન્દ્ર મોદી બનીને કામ કર્યું છે. હું તમને બધાને હૃદયથી ધન્યવાદ અને પ્રણામ કરુ છું. તમે ઘણી મોટી જવાબદારી નિભાવી છે. બીજી વાત કદાચ હિન્દુસ્તાનના ઇતિહાસમાં પહેલીવાર કોઇ ઉમેદવારને પોતાના મતદાતાઓ સાથે સંવાદ કરવાની તક ના મળી હોય.

વારાણસીએ મોદીના મૌન પર મહોર લગાવી
વારાણસીએ મોદીના મૌન પર મહોર લગાવી છે. મને વારાણસીમાં એક ઉમેદવાર તરીકે મારી વાત બતાવવાનું સૌભાગ્ય મળ્યું નહોતું. તેમ છતાં મોદીના મૌનને વારાણાસીના લોકોએ જે પ્રકારે મહોર લગાવી છે, આ બન્ને ઘટનાઓ હિન્દુસ્તાનના રાજકારણની મહત્વપૂર્ણ ઘટના મારી સાથે બની છે. તમે આજે 60 વર્ષના ભારતના લોકતંત્રમાં એક નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. આ વાત મીડિયામાં જોવા મળી નથી. આપણા દેશમાં સામાન્ય ચૂંટણી થાય છે, તેમાં અત્યારસુધીમાં લોકસભાની સામાન્ય ચૂંટણી થઇ છે, તેમાં 5 લાખ 70 હજારની સરસાઇ કોઇને મળી નથી. આ કામ વડોદરાએ કરીને ઇતિહાસમાં પોતાનું નામ લખાવી દીધું છે

વડોદરાએ રેકોર્ડ બનાવ્યો
હું આ નવો રેકોર્ડ પ્રસ્થાપિત કરવા માટે વડોદરાના મારા ભાઇઓ બહેનોને અભિનંદન કરું છું. હું દેશના ચૂંટણી પંચને દેશના જાગૃત નાગરીકોને તથા દેશના નિષ્પક્ષ મીડિયાને એ પ્રાર્થના કરું છું કે, ગુજરાતમાં વડોદરાના નાગરીકોએ જે ઇનિસેટિવ લીધા, કોઇ વ્યક્તિનો પ્રચાર નહીં, કોઇ દળનો પ્રચાર નહીં, કોઇ સિમ્બોલનો પ્રચાર નહીં, પરંતુ પૂર્ણ રીતે લોકતંત્રમાં મતદાનની જવાબદારીને લઇને વડોદરાના બુદ્ધિજીવીઓએ, સિવિલ સોસાયટીએ, એનજીઓએ, ચેમ્બર્સને, ઇન્ડસ્ટ્રીયલ એસોસિએસટ્સ, વકીલ, ડોક્ટર, સ્પોર્ટ્સ પર્સને મતદાતા જાગૃતિ માટે અભિયાન ચલાવ્યું તે ઇતિહાસની સૌથી મોટી ઘટના છે.

વડોદરાનો દસ્તાવેજ તૈયાર કરવામાં આવે
એક નાગરીક તરીકે હું વડોદરાના ભિન્ન ભિન્ન અને રાજકીય સંગઠનોને સાર્વજનીક રીતે અભિનંદન પાઠવું છું. વડોદરાનો દસ્તાવેજ તૈયાર કરે. વડોદરાએ જે કામ કર્યું છે, તેને અભિવાદન કરું છું. હું મતદાતા જાગૃતિનું જે કામ થયું છે, તે માટે વડોદરાએ હિન્દુસ્તાન માટે એક દિશા દર્શક અને પ્રેરક કામ કર્યું છે, તે બદલ શુભેચ્છા પાઠવું છે.

ગુજરાતે અદભૂત રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો
આ ચૂંટણીમાં ગુજરાતે અદભૂત રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે. 26માંથી 26, પહેલા જ્યારે બોલતા હતા ત્યારે મારી વાતને મજાકમાં ઉડાવતા હતા. 26માંથી 25 પણ આવતીને તો આપણી ધોલાઇ થઇ જાતી. ભાજપવાળા દાવા કરે છે, 26ના દાવા કરતા હતા અને મુશ્કેલથી 25 આવી. હું ગુજરાતની જનતાનો આભારી છું કે તેણે 26માંથી 26 બેઠકો આપીને, વિજય મામુલી નથી, ગુજરાતમાં મતદાતાઓ ભાજપની 60 ટકા મતદાન કર્યું છે. આ એક નવી મિશાલ છે. વિધાનસભાની ચૂંટણીમાં સાત બેઠકોમાંથી છ કોંગ્રેસની બેઠક હતી અને એક ભાજપની હતી. કોંગ્રેસે તેમાંથી પણ ત્રણ છીનવીને આપણને આપી દીધી હતી. ભાજપે ચાર જીતી ગઇ. ત્રણ એટલા માટે રાખી છે કે તેમને તકલીફ ન થાય.

ચૂંટણી અનેક રીતે મહત્વપૂર્ણ
આ ચૂંટણી અનેક રીતે મહત્વપૂર્ણ છે. દેશ આઝાદ થયા બાદ મોટાભાગે કોંગ્રેસ પાર્ટીની સરકાર રહી છે. જ્યારે પણ નોન કોંગ્રેસ સરકાર આવી છે, ત્યારે ગઠબંધનની સરકાર બની છે. આ પહેલીવાર બન્યું છેકે કોંગ્રેસ સિવાય કોઇ એક દળની શુદ્ધ રીતે જો કોઇ સરકાર બની છે તો તે ભાજપની છે. આ પહેલી ચૂંટણી છે, જે શુદ્ધ રીતે એક દળ ભારતના આશિર્વાદ મેળવવામાં સફળ રહ્યાં છે.

આઝાદ હિન્દુસ્તાનમાં જન્મેલાઓના હાથમાં ચૂંટણીનું નેતૃત્વ
અત્યારસુધી દેશની ચૂંટણીનું નેતૃત્વ એ લોકો પાસે હતું, જે આઝાદ હિન્દુસ્તાનમાં જન્મ્યા નહોતા. આ પહેલી ચૂંટણી છે, જેનું નેતૃત્વ એ લોકોના હાથમાં હતું જે આઝાદ ભારતમાં પેદા થયેલા લોકોના હાથમાં હતું. આ દેશમાં પહેલીવાર આઝાદ હિન્દુસ્તાનમાં જેમનો જન્મ થયો છે, તેમના નેતૃત્વમાં દેશ ચાલવાનો છે. હું આજે આ સયાજીરાવ ગાયકવાડની ધરતી પરથી દેશવાસીઓને વિશ્વાસ અપાવવા માગું છુ કે અમને આઝાદી માટે મરવાનુ સૌભાગ્ય મળ્યું નથી, આઝાદી માટે જેલ જવાનું સૌભાગ્ય મળ્યું નથી, આપણને આઝાદીની જંગમાં અંગ્રેજ સલ્તનતના ઝુલ્મો સહવાનુ સૌભાગ્ય નહોતું મળ્યું, પરંતુ આઝાદ હિન્દુસ્તાનમાં સુરાજ્ય માટે જીવવું એ અમારો સંકલ્પ છે.

દેશની જનતાએ ત્રણ સદી ફટકારી
દેશની જનતાએ ત્રણ સદી ફટકારી છે. એનડીએને 300 કરતા વધુ બેઠકો આપી. દેશની જનતાનો હું ઘણો આભારી છું. હું પ્રારંભથી કહેતો આવ્યો છું, જે સરકાર હોય છે, તે કોઇ દળની નહીં, દેશની હોય છે. સરકાર કેટલાક વિશેષ લોકોની નહી, સરકાર સવાસો કરોડ દેશવાસીઓની હોય છે. સરકાર આખા ભારતની હશે. સવાસો કરોડ દેશવાસી આપણા પોતાના હોય છે. તેમનું કલ્યાણ, તેમનું સુખ, તેમના જીવનમાં બદલાવ લાવવો એ સરકારની પ્રાથમિકતા હોય છે. દેશની જનતાએ પોતાનો ફેંસલો આપી દીધો છે, જે કહે છેકે આપણે હિન્દુસ્તાનને આગળ લઇ જવાનું છે. સવાસો કરોડ દેશવાસીઓના સ્વપ્નને પૂરા કરવા માટે પરિશ્રમની પરાકાષ્ટા કરવાની છે.

હું તો મજૂર નંબર વન છું
પરિશ્રમ કરવાની મારી પરાકાષ્ટા છે, તેના પર કોઇને શંકા છે ખરી. અમે તો મજૂર નંબર વન છીએ. આવનારા સમય સુધી દેશમાં મારા જેવો કોઇ મજૂર નથી. મે ચૂંટણી અભિયાનમાં મજૂર કેવો હોય છે, તેનું ઉદાહરણ રજૂ કરી દીધું છે. આ એક વિષય છે, તેના પર મારા વિરોધીઓ પણ પ્રશ્ન ઉભા કરી શકતા નથી. તમે મને ચાર વાર મુખ્યમંત્રી બનાવ્યો અને મે એકપણ દિવસ વેકેશન લીધું નથી, કારણ કે હું માનું છું કે તમે મને જે જવાબદારી આપી છે, તેને પૂર્ણ કરવામાં શરીરનો પ્રત્યે કણ, સમયનો પ્રત્યેક ક્ષણ સવાસો કરોડ દેશવાસીઓને સમર્પિત કરું. તેથી હું તમને વિશ્વાસ અપાવું છું કે દેશવાસીઓને વિશ્વાસ અપાવું છું, અમારો ઉદ્દશ્ય છેકે અમારો નારો નથી અમે ગુજરાતમાં એ સ્પિરિટને જીવીને દર્શાવ્યું છે. અમારી એ સ્પિરિટ છે, સૌનો સાથ સૌનો વિકાસ, એ અમારા કામનો મંત્ર છે. આ ખોખલા શબ્દો નથી. એ અમારા વર્ક ડીએનએ છે.
વારાણસીએ મોદીના મૌન પર મહોર લગાવી
વારાણસીએ મોદીના મૌન પર મહોર લગાવી છે. મને વારાણસીમાં એક ઉમેદવાર તરીકે મારી વાત બતાવવાનું સૌભાગ્ય મળ્યું નહોતું. તેમ છતાં મોદીના મૌનને વારાણાસીના લોકોએ જે પ્રકારે મહોર લગાવી છે, આ બન્ને ઘટનાઓ હિન્દુસ્તાનના રાજકારણની મહત્વપૂર્ણ ઘટના મારી સાથે બની છે. તમે આજે 60 વર્ષના ભારતના લોકતંત્રમાં એક નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. આ વાત મીડિયામાં જોવા મળી નથી. આપણા દેશમાં સામાન્ય ચૂંટણી થાય છે, તેમાં અત્યારસુધીમાં લોકસભાની સામાન્ય ચૂંટણી થઇ છે, તેમાં 5 લાખ 70 હજારની સરસાઇ કોઇને મળી નથી. આ કામ વડોદરાએ કરીને ઇતિહાસમાં પોતાનું નામ લખાવી દીધું છે.
વડોદરાએ રેકોર્ડ બનાવ્યો
હું આ નવો રેકોર્ડ પ્રસ્થાપિત કરવા માટે વડોદરાના મારા ભાઇઓ બહેનોને અભિનંદન કરું છું. હું દેશના ચૂંટણી પંચને દેશના જાગૃત નાગરીકોને તથા દેશના નિષ્પક્ષ મીડિયાને એ પ્રાર્થના કરું છું કે, ગુજરાતમાં વડોદરાના નાગરીકોએ જે ઇનિસેટિવ લીધા, કોઇ વ્યક્તિનો પ્રચાર નહીં, કોઇ દળનો પ્રચાર નહીં, કોઇ સિમ્બોલનો પ્રચાર નહીં, પરંતુ પૂર્ણ રીતે લોકતંત્રમાં મતદાનની જવાબદારીને લઇને વડોદરાના બુદ્ધિજીવીઓએ, સિવિલ સોસાયટીએ, એનજીઓએ, ચેમ્બર્સને, ઇન્ડસ્ટ્રીયલ એસોસિએસટ્સ, વકીલ, ડોક્ટર, સ્પોર્ટ્સ પર્સને મતદાતા જાગૃતિ માટે અભિયાન ચલાવ્યું તે ઇતિહાસની સૌથી મોટી ઘટના છે.
વડોદરાનો દસ્તાવેજ તૈયાર કરવામાં આવે
એક નાગરીક તરીકે હું વડોદરાના ભિન્ન ભિન્ન અને રાજકીય સંગઠનોને સાર્વજનીક રીતે અભિનંદન પાઠવું છું. વડોદરાનો દસ્તાવેજ તૈયાર કરે. વડોદરાએ જે કામ કર્યું છે, તેને અભિવાદન કરું છું. હું મતદાતા જાગૃતિનું જે કામ થયું છે, તે માટે વડોદરાએ હિન્દુસ્તાન માટે એક દિશા દર્શક અને પ્રેરક કામ કર્યું છે, તે બદલ શુભેચ્છા પાઠવું છે.
ગુજરાતે અદભૂત રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો
આ ચૂંટણીમાં ગુજરાતે અદભૂત રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે. 26માંથી 26, પહેલા જ્યારે બોલતા હતા ત્યારે મારી વાતને મજાકમાં ઉડાવતા હતા. 26માંથી 25 પણ આવતીને તો આપણી ધોલાઇ થઇ જાતી. ભાજપવાળા દાવા કરે છે, 26ના દાવા કરતા હતા અને મુશ્કેલથી 25 આવી. હું ગુજરાતની જનતાનો આભારી છું કે તેણે 26માંથી 26 બેઠકો આપીને, વિજય મામુલી નથી, ગુજરાતમાં મતદાતાઓ ભાજપની 60 ટકા મતદાન કર્યું છે. આ એક નવી મિશાલ છે. વિધાનસભાની ચૂંટણીમાં સાત બેઠકોમાંથી છ કોંગ્રેસની બેઠક હતી અને એક ભાજપની હતી. કોંગ્રેસે તેમાંથી પણ ત્રણ છીનવીને આપણને આપી દીધી હતી. ભાજપે ચાર જીતી ગઇ. ત્રણ એટલા માટે રાખી છે કે તેમને તકલીફ ન થાય.
ચૂંટણી અનેક રીતે મહત્વપૂર્ણ
આ ચૂંટણી અનેક રીતે મહત્વપૂર્ણ છે. દેશ આઝાદ થયા બાદ મોટાભાગે કોંગ્રેસ પાર્ટીની સરકાર રહી છે. જ્યારે પણ નોન કોંગ્રેસ સરકાર આવી છે, ત્યારે ગઠબંધનની સરકાર બની છે. આ પહેલીવાર બન્યું છેકે કોંગ્રેસ સિવાય કોઇ એક દળની શુદ્ધ રીતે જો કોઇ સરકાર બની છે તો તે ભાજપની છે. આ પહેલી ચૂંટણી છે, જે શુદ્ધ રીતે એક દળ ભારતના આશિર્વાદ મેળવવામાં સફળ રહ્યાં છે.
આઝાદ હિન્દુસ્તાનમાં જન્મેલાઓના હાથમાં ચૂંટણીનું નેતૃત્વ
અત્યારસુધી દેશની ચૂંટણીનું નેતૃત્વ એ લોકો પાસે હતું, જે આઝાદ હિન્દુસ્તાનમાં જન્મ્યા નહોતા. આ પહેલી ચૂંટણી છે, જેનું નેતૃત્વ એ લોકોના હાથમાં હતું જે આઝાદ ભારતમાં પેદા થયેલા લોકોના હાથમાં હતું. આ દેશમાં પહેલીવાર આઝાદ હિન્દુસ્તાનમાં જેમનો જન્મ થયો છે, તેમના નેતૃત્વમાં દેશ ચાલવાનો છે. હું આજે આ સયાજીરાવ ગાયકવાડની ધરતી પરથી દેશવાસીઓને વિશ્વાસ અપાવવા માગું છુ કે અમને આઝાદી માટે મરવાનુ સૌભાગ્ય મળ્યું નથી, આઝાદી માટે જેલ જવાનું સૌભાગ્ય મળ્યું નથી, આપણને આઝાદીની જંગમાં અંગ્રેજ સલ્તનતના ઝુલ્મો સહવાનુ સૌભાગ્ય નહોતું મળ્યું, પરંતુ આઝાદ હિન્દુસ્તાનમાં સુરાજ્ય માટે જીવવું એ અમારો સંકલ્પ છે.
દેશની જનતાએ ત્રણ સદી ફટકારી
દેશની જનતાએ ત્રણ સદી ફટકારી છે. એનડીએને 300 કરતા વધુ બેઠકો આપી. દેશની જનતાનો હું ઘણો આભારી છું. હું પ્રારંભથી કહેતો આવ્યો છું, જે સરકાર હોય છે, તે કોઇ દળની નહીં, દેશની હોય છે. સરકાર કેટલાક વિશેષ લોકોની નહી, સરકાર સવાસો કરોડ દેશવાસીઓની હોય છે. સરકાર આખા ભારતની હશે. સવાસો કરોડ દેશવાસી આપણા પોતાના હોય છે. તેમનું કલ્યાણ, તેમનું સુખ, તેમના જીવનમાં બદલાવ લાવવો એ સરકારની પ્રાથમિકતા હોય છે. દેશની જનતાએ પોતાનો ફેંસલો આપી દીધો છે, જે કહે છેકે આપણે હિન્દુસ્તાનને આગળ લઇ જવાનું છે. સવાસો કરોડ દેશવાસીઓના સ્વપ્નને પૂરા કરવા માટે પરિશ્રમની પરાકાષ્ટા કરવાની છે.
હું તો મજૂર નંબર વન છું
પરિશ્રમ કરવાની મારી પરાકાષ્ટા છે, તેના પર કોઇને શંકા છે ખરી. અમે તો મજૂર નંબર વન છીએ. આવનારા સમય સુધી દેશમાં મારા જેવો કોઇ મજૂર નથી. મે ચૂંટણી અભિયાનમાં મજૂર કેવો હોય છે, તેનું ઉદાહરણ રજૂ કરી દીધું છે. આ એક વિષય છે, તેના પર મારા વિરોધીઓ પણ પ્રશ્ન ઉભા કરી શકતા નથી. તમે મને ચાર વાર મુખ્યમંત્રી બનાવ્યો અને મે એકપણ દિવસ વેકેશન લીધું નથી, કારણ કે હું માનું છું કે તમે મને જે જવાબદારી આપી છે, તેને પૂર્ણ કરવામાં શરીરનો પ્રત્યે કણ, સમયનો પ્રત્યેક ક્ષણ સવાસો કરોડ દેશવાસીઓને સમર્પિત કરું. તેથી હું તમને વિશ્વાસ અપાવું છું કે દેશવાસીઓને વિશ્વાસ અપાવું છું, અમારો ઉદ્દશ્ય છેકે અમારો નારો નથી અમે ગુજરાતમાં એ સ્પિરિટને જીવીને દર્શાવ્યું છે. અમારી એ સ્પિરિટ છે, સૌનો સાથ સૌનો વિકાસ, એ અમારા કામનો મંત્ર છે. આ ખોખલા શબ્દો નથી. એ અમારા વર્ક ડીએનએ છે.
-
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય












Click it and Unblock the Notifications
