નરેન્દ્ર મોદીએ ભારતીયોને પાઠવી દિવાળીની શુભેચ્છા

મોદીએ જણાવ્યું કે 'દિવાળીનો તહેવાર હજ્જારો વર્ષોથી આપણી સંસ્કૃતિનો અભિન્ન હિસ્સો રહ્યો છે, શ્રી રામ વિજયી બનીને અયોધ્યા પાછા ફર્યા એની યાદમાં તેને મનાવવામાં આવે છે. અંધકારથી પ્રકાશ તરફ પાછા ફરવાની આ ઉજવણી છે, અને આસૂરી શકિ્ત પર દૈવી ગુણોનાં વિજયનો તહેવાર છે.'
તેમણે લોકોને આહ્વાન કર્યુ કે 'આપણે પ્રાર્થના કરીએ કે આપણા દેશ પર દૈવી પ્રકાશરૂપ આશિષ ઉતરે અને દેશ ભ્રષ્ટાચાર અને મોંઘવારી જેવી મુસીબતોમાંથી બહાર આવે. અને તો જ દેશનો ગરીબમાં ગરીબ માણસ પણ ગરીબીની બેડીઓમાંથી મુક્ત થશે અને આપણી વિકાસયાત્રાનો અભિન્ન અંગ બની શકશે.'
મુખ્યમંત્રીએ જણાવ્યું કે 'છેલ્લા ઘણા વર્ષોથી દિવાળી અને નૂતન વર્ષની ઉજવણી ભારત બહાર પણ ઘણા દેશોમાં કરવામાં આવે છે. દિવાળીનો તહેવાર હવે વૈશ્વિક બની ચૂક્યો છે અને દુનિયાભરનાં લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે.' પરિવાર સાથે આનંદથી દિવાળી ઉજવણી કરવા અને દિવાળીની ઉજવણીરૂપે ફટાકડા ફોડતી વખતે સલામતીનો પણ પૂરતો ખ્યાલ રાખવા પણ નરેન્દ્ર મોદીએ લોકોને અપીલ કરી હતી.
-
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી








Click it and Unblock the Notifications
