મોદી આવતીકાલ રવિવારે જશે પટણા

narendra modi
અમદાવાદ, 3 નવેમ્બર: ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રવિવારે પટણા રવાના થશે. મોદીનું અચાનક બિહાર જવાનું એટલા માટે નક્કી થઇ ગયું છે કારણ કે આવતી કાલે જ પટણામાં જેડીયુની અધિકાર રેલી છે. આ રેલીને સફળ બનાવવા માટે મુખ્યમંત્રી નીતિશ કુમારે પૂરેપૂરી તાકાત લગાવી દીધી છે. જોકે મોદી બીજેપી નેતા અને પૂર્વ ગવર્નર કૈલાશપતિ મિશ્રાને શ્રદ્ધાંજલિ આપવા પટણા જઇ રહ્યા છે.

આ પહેલા પણ હુંકાર રેલીમાં મોદીની ગેરહાજરીને લઇને ઘણી ચર્ચાઓ મીડિયામાં થઇ હતી, બાદમાં બીજેપીએ સફાઇ આપી હતી કે મોદી અને નીતિશ કુમાર વચ્ચે કોઇ મતભેદ નથી.

જોકે દેખીતું છે કે જેડીયુ અને બીજેપીને લઇને બિહારની રાજનીતિમાં ગરમાવો છે. જોકે જેડીયુએ સંકેત પણ આપ્યા હતા કે જો નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી પદ માટેના ઉમેદવાર બનાવવામાં આવ્યા તો તેમનું ગઠબંધન ખતરામાં પડી શકે છે.

હવે જોવાનું એ છે કે આવતી કાલે મોદી બિહારમાં જઇને શું કહે છે, અને તેની પર જેડીયુની શું પ્રતિક્રિયા આવે છે. હાલમાં જેડીયુ અને બીજેપી વચ્ચે તીરાડ પડતી દેખાઇ રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X