For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદી નૂતન વર્ષે નાગરિકોને મળશે

|
Google Oneindia Gujarati News

narendra-modi
અમદાવાદ, 12 નવેમ્બર : મુખ્ય મંત્રી નરેન્દ્રભાઇ મોદી 14 નવેમ્બર, 2012ને બુધવારે નૂતન વર્ષ નિમિત્તે મંત્રીમંડળ નિવાસ સંકુલમાં આવેલા કોમ્યુનિટી હોલ ખાતે સવારે 8.00થી 8.45 વાગ્યા સુધી નાગરિકો સાથે નૂતનવર્ષાભિનંદન અને શુભેચ્છાઓનું આદાનપ્રદાન કરશે. દિવાળીના પર્વ નિમિત્તે તેમણે ગુજરાતના નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી અને આવનારું વર્ષ સુખમયી રહેવાની સાથે દૈવીમય પ્રકાશ મોંધવારી, ભ્રષ્ટાચાર જેવી મુસીબતોમાંથી છૂટકારો અપાવે તેવી કામના વ્યક્ત કરી હતી.

નવા વર્ષે સવારે 8.50 વાગે રાજ્યપાલને રાજભવન ખાતે નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવશે. આ પેહેલા ગાંધીનગરમાં પંચદેવ મંદિરમાં સવારે સાડા સાત વાગે દર્શનાર્થે જઇને નરેન્દ્રભાઇ મોદી નૂતનવર્ષનો ભકિતભાવથી પ્રારંભ કરશે અને ત્યારબાદ નાગરિકો સાથે ગાંધીનગરમાં નૂતન વર્ષની શુભેચ્છાના આદાનપ્રદાન પછી સવારે 9.30 કલાકે અમદાવાદમાં ભદ્રકાળી મંદિરમાં દર્શન કરશે.

ગુજરાતના મુખ્યમંત્રી ત્યારબાદ સવારે 10.15 થી 11.00 કલાક સુધી અમદાવાદમાં એનેક્ષી સરકીટ હાઉસ, શાહીબાગ ખાતે નાગરિકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવશે.

English summary
Narendra Modi will meet people on New Year.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X