ગુજરાતમાં વરસાદનુ જોર, નદી-નાળા-બંધો છલકાયા, 10 હાઈ એલર્ટ પર
ચોમાસાના વરસાદના કારણે ગુજરાતની મોટાભાગની નદી-નાળા પાણીથી ભરાઈ ચૂક્યા છે. બંધોનુ જળસ્તર પણ વધી રહ્યુ છે.
અમદાવાદઃ ચોમાસાના વરસાદના કારણે ગુજરાતની મોટાભાગની નદી-નાળા પાણીથી ભરાઈ ચૂક્યા છે. બંધોનુ જળસ્તર પણ વધી રહ્યુ છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ વર્ષે રાજ્યમાં અત્યાર સુધી 36 ટકા વરસાદ થઈ ચૂક્યો છે. અહીંના મુખ્ય 206 બંધોમાં જળ સંગ્રહની સ્થિતિ પર નજર નાખીએ તો ગઈ કાલે સવાર સુદી 52 બંધોમાં ક્ષમતાના 50 ટકાથી વધુ જળ સંગ્રહ થઈ ચૂક્યો હતો. 5 બંધોમાં પાણી સંપૂર્ણ ભરાઈ ગયુ છે અને 10ને હાઈએલર્ટ પર રાખવામાં આવ્યા છે. એટલુ જ નહિ દેશના સૌથી મોટા બંધોમાંથી એક સરદાર સરોવર ડેમમાં પણ તેની કેપેસિટીનુ 46.36 ટકા પાણી સંગ્રહ થઈ ચૂક્યુ છે. સરદાર સરોવર ડેમ નર્મદા નદી પર સ્થિત છે.

દેશનો સૌથી મોટો નર્મદા બંધ અડધો ભરાયો
સરદાર સરોવર ડેમ મેનેજમેન્ટ તરફથી મળેલી માહિતી મુજબ ડેમનુ સ્તર હાલમાં 116.27 મીટર થઈ ચૂક્યુ છે. જ્યારે તેની ક્ષમતા 138.68 મીટરની છે. રવિવારે સવાર સુધી આ બંધની ક્ષમતાનુ 46.36 ટકા ભરાઈ ગયુ હતુ. અધિકારીઓના જણાવ્યા મુજબ આ ડેમમાં જળ સંગ્રહની કુલ ક્ષમતા 9460 મિલિય ક્યુબિક મીટર (એમસીએમ) છે. જેમાં હાલમાં 4385.23 એમસીએમ સંગ્રહ થઈ ચૂક્યુ છે. આ બંધથી રાજ્યના લાખો ખેડૂતોને પાણી પહોંચે છે. આ ઉપરાંત મોટી માત્રામાં વિજળીનુ પણ ઉત્પાદન થાય છે.

10 બંધો માટે સરકાર હાઈ એલર્ટ પર
રાજ્ય સરકાર દ્વારા 10 બંધોને ચેતવણી પર રાખવામાં આવ્યા છે. જેમાં તેમની ક્ષમતાના 70 ટકાથી વધુ પાણી ભરાઈ ચૂક્યુ છે. આ સાથે જ કુલ મળીને 52 બંધ એવા છે જેમાં ક્ષમતાના 50 ટકાથી વધુ જળ સંગ્રહ થયો છે. હાઈ એલર્ટ ઘોષિત કરાયેલ બંધોમાં 9 સૌરાષ્ટ્રના છે જ્યારે એક દક્ષિણ ગુજરાતના છે. અધિકારીઓનુ કહેવુ છે કે 5 બંધ ક્ષમતાના મુકાબલે સંપૂર્ણપણે 100 ટકા ભરાઈ ગયા છે. આમાં એક અમરેલી જિલ્લા રાજૂલા તાલુકાના દાંતરવાડી બંધ છે. બીજો જામનગર જિલ્લાના કાલાવાડ તાલુકાના ફૂલઝર-1 છે, ત્રીજો સાવરકુંડલા તાલુકાના સૂરજવાડી, ચોથો દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકાના કબરકા અને પાંચમો તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના દોસવાડા બંધ શામેલ છે.

207 બંધોમાં અત્યાર સુધી ઘણો જળ સંગ્રહ
રાજ્ય સરકાર તરફથી જણાવવામાં આવ્યુ છે કે હવે ગુજરાતના બંધોમાં કુલ સંગ્રહ 47.59 ટકા થઈ ચૂક્યુ છે અહીં મુખ્ય 207 બંધોમાં જળ સંગ્રહની કુલ ક્ષમતા 25244.40 એમસીએમ છે. વળી, રવિવારની સ્થિતિમાં આ બંધોમાં કુલ જળ સંગ્રહ 12014.96 એમસીએમ થઈ ગયુ છે જે 47.59 ટકા છે. અધિકારીઓએ જણાવ્યુ કે ઉપરોક્ત 5 ઉપરાંત અને 6 બંધ પણ એલર્ટ રાખવામાં આવ્યા છે. જેમાં 80 ટકાથી વધુ અને 90 ટકાથી ઓછુ જળ સંગ્રહ થઈ ચૂક્યો છે. વળી, 9 બંધોને વૉર્નિંગ તરીકે દર્શાવવામાં આવ્યા છે. સરકારનુ કહેવુ છે કે આમાં 70 ટકાથી વધુ અને 80 ટકાથી ઓછુ પાણી ભરાયેલુ છે.

કચ્છના બંધોમાં હજુ જળ સંગ્રહ ઓછો
ગુજરાતના કચ્છમાં બંધોની વાત કરીએ તો અહીંના બધા મુખ્ય 20 બંધોમાં હાલમાં સરેરાશ 23.18 ટકા જ જળ સંગ્રહ થઈ શક્યો છે કે જે રાજ્યના અન્ય ભાગોની સરખામણીમાં સૌથી ઓછો છે. વળી, દક્ષિણ ગુજરાતના જે 13 બંધ છે તેની ક્ષમતાના મુકાબલે 58.10 ટકા જળ સંગ્રહ થઈ ચૂક્યો છે જે સર્વાધિક છે. સરકારી પોર્ટલના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રમાં સૌથી વદુ 141 બંધ છે. આ બંધોમાં 40.90 ટકા જળ સંગ્રહ થયો છે. વળી, મધ્ય ગુજરાતના 17 બંધોની વાત કરીએ તો આમાં 43.73 ટકા અને ઉત્તર ગુજરાતના બંધોમાં 24.47 જળ સંગ્રહ થઈ ગયો છે.
-
Weather News: યુપી-દિલ્હી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
Middle East Crisis પર PM મોદીએ CM સાથે બોલાવી ઈમરજન્સી મીટિંગ, શું છે સરકારનો 7 Empowered Groups પ્લાન? -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
