દેવગઢ બારીયના એનસીપી ઉમેવદારે આજે ફોર્મ પરત ખેંચ્યુ
ગુજરાત વિધાનભાની ચૂંટણી પહેલા ભાજપ કોગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને નેતાઓ પક્ષ પલટુ કરી રહ્યા છે તો ઘણા લોકો એક પ્રથમ તબક્કાના મતદાન પહેલા ઘણા અપક્ષ ઉમેદવરો ભાજપ કોગ્રેસના સપોર્ટમાં ફોર્મ પણ પરત ખેંચી લીધા છે.
ગુજરાત વિધાનભાની ચૂંટણી પહેલા ભાજપ કોગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને નેતાઓ પક્ષ પલટુ કરી રહ્યા છે તો ઘણા લોકો એક પ્રથમ તબક્કાના મતદાન પહેલા ઘણા અપક્ષ ઉમેદવરો ભાજપ કોગ્રેસના સપોર્ટમાં ફોર્મ પણ પરત ખેંચી લીધા છે. બીજા તપક્કાના પહેલા દાહોદની દેવગઢ બારીયાના સીટના એનસીપીના ઉમેદવારે પોતાનુ ફોર્મ પરત ખેંચીને બધાને આશ્ચ્રર્યમાં મૂકી દિધા છે.
હવે આ સીટ પર સીધી ભાજપ અને આપ વચ્ચે ટક્કર થશે દેવગઢ બારીયા સીટ પર કોગ્રેસે પોતાના ઉમેદવારો નહોતા ઉભા રાખ્યા પરંતુ એનસીપી સાથે ગઠબંધન કર્યુ હતુ. કોગ્રેસ દ્વારા એનસીપી સાથે ત્રણ બેઠકો પર ગઠબંધ કરવામાં આવ્ય હતુ.
આજે રાહુલ ગાંધી પણ ગુજરાતના પ્રવાસે આવ્યા છે ત્યારે એનસીપીના નેતાએ કો્ગ્રેસના ગઠબંધનની પરવા કર્યા વગર ફોર્મ પરત ખેંચી લેતા બેઠક પર આપ અને ભાજપ વચ્ચે સીધી લડાઇ થશે. થોડા દિવસ પહેલા એનસીપીમાથી રેશ્મા પટેલે પણ રાજીનામુ આપીને આપમા જોડાયા હતા.