Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

'કોર્ટની મંજૂરી વગર કોઇપણ ચૂંટણી લડશે નહીં', પૂર્વ મંત્રીએ આપી બાંહેધરી

વિપુલ ચૌધરીએ તેમના કાનૂની વકીલો દ્વારા એક બાંહેધરી આપવામાં આવી હતી કે, તેમને કોઈ પણ ચૂંટણી લડશે નહીં અને કોર્ટની સ્પષ્ટ પરવાનગી વગર કોઈપણ સહકારી મંડળીઓ માટે નામાંકન માંગશે કે સ્વીકારશે નહીં.

ગુજરાત હાઇકોર્ટની ડિવિઝન બેચે મંગળવારના રોજ રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અને અમુલના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને સહકારી મંડળીઓના ગાંધીનગર જિલ્લા રજિસ્ટ્રારને ગુજરાત કોઓપરેટીવ સોસાયટીઝ એક્ટની જોગવાઈઓ હેઠળ બહાર પાડવામાં આવેલી શોકોઝ નોટિસ પર વધુ કાર્યવાહી ન કરવાનો નિર્દેશ આપીને વચગાળાની રાહત આપી છે. આ સાથે વિપુલ ચૌધરીને આગામી છ વર્ષ માટે કોઈ સહકારી ચૂંટણી લડવા અથવા હોદ્દો સંભાળવા માટે કેમ ગેરલાયક ઠરાવવામાં આવ્યો છે, એ અંગેના કારણો માંગ્યા છે.

former home minister

આ સુનાવણી દરમિયાન વિપુલ ચૌધરીએ તેમના કાનૂની વકીલો દ્વારા એક બાંહેધરી આપવામાં આવી હતી કે, તેમને કોઈ પણ ચૂંટણી લડશે નહીં અને કોર્ટની સ્પષ્ટ પરવાનગી વગર કોઈપણ સહકારી મંડળીઓ માટે નામાંકન માંગશે કે સ્વીકારશે નહીં.

સહકારી મંડળીઓના ગાંધીનગર જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા ગત વર્ષે સપ્ટેમ્બરના ઓર્ડર દ્વારા ચૌધરીને 1961ના કાયદાની કલમ 76 બી (2)ની જોગવાઈઓ અનુસાર ચરાડા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની વહીવટી સમિતિના સભ્ય તરીકે દૂર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 22 સપ્ટેમ્બર, 2020માં જિલ્લા રજિસ્ટ્રારે ચૌધરીને કારણદર્શક નોટિસ આપી હતી કે, શા માટે તેમને ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે અને શા માટે તેમને કોઈપણ સહકારી મંડળીમાં કોઈ હોદ્દો ન ધરાવવો જોઈએ.

વિપુલ ચૌધરીને મહેસાણા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. ના ચેરમેન તરીકે ચૂંટવામાં આવ્યા હતા અને તે જ વર્ષે ચૌધરીને સોસાયટીના હિતને પ્રતિકૂળ રીતે વર્તવાના આધારે શોકોઝ નોટિસ આપવામાં આવી હતી. વિપુલ ચૌધરીને પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા અને ત્રણ વર્ષના સમયગાળા માટે તેમના હોદ્દા પર અથવા કોઈપણ સહકારી મંડળીમાં ચૂંટણીમાં ભાગ લેવા માટે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા.

વિપુલ ચૌધરીએ આ કાર્યવાહીને પડકારી હતી અને ત્યારબાદ 2017માં સુપ્રીમ કોર્ટે ત્રણ વર્ષના સમયગાળા માટે હટાવવા અને ગેરલાયક ઠેરવ્યો હતો. આમ વિપુલ ચૌધરીને વર્ષ 2018 સુધી કોઈપણ સહકારી મંડળીની ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂક્યો હતો.

ચૂંટણી અને પાંચ વર્ષના સમયગાળા માટે જુલાઈ 2017માં સમાજના મેનેજિંગ કમિટીના સભ્ય તરીકે ચૂંટાયા હતા. આ ઉલ્લંઘનને કારણે ગાંધીનગર જિલ્લા રજિસ્ટ્રારે શોકોઝ નોટિસ જારી કરી હતી. જેને પડકારવામાં આવી છે અને હાલ તેની સુનાવણી ચાલી રહી છે.

ડિવિઝન બેચે નિર્દેશ આપ્યો હતો કે, ગાંધીનગર જિલ્લા રજિસ્ટ્રાર શોકોઝ નોટિસના સંદર્ભમાં આગળ નહીં વધે. કોર્ટે નોંધ્યું છે કે, વિપુલ ચૌધરીની રજૂઆતને આધીન રાહત છે કે, તે કોઇ સહકારી મંડળીઓ માટે ચૂંટણી લડશે નહીં અને કોર્ટની પરવાનગી વગર કોઇ સહકારી મંડળીઓ દ્વારા નામાંકિત થશે નહીં.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X