નરેન્દ્ર મોદી વિરૂદ્ધ હુલ્લડખોરોને ઉશ્કેરવાના પુરાવા નથી: એસઆઇટી
અમદાવાદ, 26 એપ્રિલ: સુપ્રીમ કોર્ટ દ્રારા રચવામાં આવેલી એસઆઇટીના વકીલે ગુરૂવારે કહ્યું હતું કે 'નરેન્દ્ર મોદીએ ક્યારેય કહ્યું નથી કે જાવ અને લોકોની હત્યા કરો.' એસઆઇટીએ જાકીયા ઝાફરીની ફરિયાદની તપાસ કર્યા બાદ 2002માં ગોધરા કાંડ બાદ થયેલા રમખાણોમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ક્લીન ચીટ મળી હતી.
એસઆઇટીએ કેસને બંધ કરવા માટે દાખલ કરવામાં આવેલી રિપોર્ટ વિરૂદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીનો વિરોધ કરતાં એસઆઇટીના વકીલ આરએસ જમુઆરે કહ્યું છે કે સામાજિક કાર્યકર્તા તીસ્તા સીતલવાડ અને અન્યએ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને નિશાન બનાવીને ખોટી ફરિયાદ દાખલ કરાવી હતી. નરેન્દ્ર મોદીએ ક્યારેય લોકોને હત્યા કરવાની વાત કરી ન હતી.
દલીલના બીજા દિવસે એસઆસટીના વકીલે સીતલવાડને નિશાન બનાવ્યો. સીતલવાડના રમખાણોના પીડીતોનો મુદ્દો ઉઠાવ્યો હતો અને તે જાકીયા ઝાફરીની મદદ કરી રહી છે. જાકીયા ઝાફરીના પતિ અને કોંગ્રેસના પૂર્વ સાંસદ એહસાન ઝાફરીની રમખાણોમાં હત્યા કરવામાં આવી હતી.

નરેન્દ્ર મોદી અને અન્ય વિરૂદ્ધ મનગઢંત ફરિયાદ માટે સીતલવાડને એકમાત્ર લેખિકા ગણાવતાં અધિવક્તા જમુઆરે કહ્યું હતું કે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્રારા કથિત રીતે ઉચ્ચ પોલીસ અધિકારીઓને હુલ્લડખોરો વિરૂદ્ધ ફરિયાદ ન કરવા સંબંધમાં આપવામાં આવેલ નિર્દેશ તીસ્તા સીતલવાડનું ઘડેલું છે. આ વાતના કોઇ પુરાવા નથી.
જકીયા ઝાફરીએ નરેન્દ્ર મોદી અને અન્ય 58 વિરૂદ્ધ આરોપ પત્ર દાખલ કરવાની માંગણી કરી છે જેને તેમને સુપ્રીમ કોર્ટમાં દાખલ પોતાની ફરિયાદમાં નામાંકન કર્યું હતું. તેમને એસઆઇટી ઉપરાંત અન્ય કોઇ સ્વતંત્ર એજન્સી પાસે તેની કરાવવાની માંગણી કરી હતી.
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા






Click it and Unblock the Notifications
